પારડી નગર ના વિવિધ બેંકો માં પૂરતા નાણાં ના અભાવે આજે પણ ગ્રાહકો ને રૂપિયા ન મળતા નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા એ.ટી.એમ. માંથી 10 હજાર ઉપાડવાની જાહેરાત કરી, પરંતુ એ.ટી.એમ. બંધ હોવાના કારણે લોકો ને પૈસા ન મળતા તેઓ ને લેવડ દેવડ માટે ખુબજ તકલીફો ઉભી થતી હોય છ. મોટા ભાગ ના એ.ટી.એમ. મશીનો બંધ હોવાના પાટિયા જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેન્ક માં પૈસા ના લેવડ દેવડ માટે રોજ ના ગ્રાહકો ને બેન્ક ની બહાર લાઈન માં ઉભા રહેવાનો વારો આવી રહ્યો છે. જે બાબતે બેંક ના અધિકારી ના જણાવ્યા મુજબ પારડી તેમજ આસપાસ ના ગામ ના ગ્રાહકો અહીં આવતા હોય છે. જેથી લાઈન રોજ ની રહેવાનીજ ત્યારે મોદીજી ના નોટબંધી ના 69 દિવસ વીતવા છતાંયે સરકાર ગ્રાહકો ને પૂરતા નાણાં આપવામાં નિષ્ફળ જઈ રહી છે. જેથી સામાન્ય જનતા ને પોતાના ઘર ચલાવવા ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે. જયારે સરદાર ભીલાડવાળા બેન્ક ના એ.ટી.એમ. છેલ્લા 70 દિવસ થી બંધ પડી રહ્યું છે. જે બાબતે બેંક ના ઇન્ચાર્જ જનરલ મેનેજર જતીનભાઈ વશી સાથે ટેલિફોનિક વાતચીત માં તેઓ જણાવ્યું હતું કે મશીન ના અંદર રૂ. 500 તેમજ રૂ. 2000 ની નવી ચલણી નોટ માટે ફેરફાર કરવાનો હોય છે. જે બાબત ને ધ્યાન માં લઇ બને તેટલા પ્રયત્નો થી ઝડપી એ.ટી.એમ. મશીન ચાલુ કરવામાં આવશે। બાકી સેવિંગ ખાતેદાર ને રૂ. 24 હજાર આપવાની સગવડ બેન્ક માંથી કરી રહ્યા છે. જયારે બી.ઓ.બી. માં સેવિંગ ખાતેદારો ને રૂ.10 હજાર સુધી ની રકમ આપવામાં આવી રહી છે. પરંતુ એ.ટી.એમ. મશીન માં પૂરતા નાણાં ન હોવાના અભાવે તેમજ મશીન માં રૂ. 4500 ના બદલે રૂ. 10 હજાર ગ્રાહકો ને મળી રહે તેમાં ફેરફાર કરવામાં થોડો સમય જશે હોવાનું બેન્ક ના અધિકારી એ જણાવ્યું હતું.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.