ગુજરાત માં સીબીએસીઇ ના બોર્ડ મારી દઈ લૂંટવાના શરૂ થયેલા ખેલ ને લઇ શિક્ષાણવિભાગ સતર્ક થઇ ગયું છે ત્યારે વલસાડ જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વલસાડ જીલ્લાની પાંચ જેટલી શાળાઓને નોટીસ ફટકારી દેવામાં આવી છે જેમાં શાળાઓ પાસે મંજુરીના જરૂરી કાગળિયા સબમીટ કરવા માટેનું કારણ દર્શાવ્યું છે. આ જરૂરી કાગળિયાઓ જો 7 દિનમાં જમા કરવામાં નહીં આવે તો સ્કુલો સામે પગલાં લેવામાં આવનાર હોવાની ચીમકી પણ શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે,સમગ્ર રાજ્યમાં જ્યારે સીબીએસસી શાળાઓ દ્વારા કરવામાં આવી રહેલી ગેર રિતીને પગલે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ એકદમ સતર્ક થઇ ગયુંં છે. જેમાં વલસાડ જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ વલસાડ જીલ્લામાં ચાલતી સીબીએસસી શાળાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થળ તપાસ વખતે સીબીએસસી શાળાઓ પાસે કેટલાંક ડોક્યુમેન્ટ ઓછા હતાં જે શાળાએ પાછળથી જમા કરાવવાનું કહ્યું હતું. પરંતુ આજદિન સુધી તે જમા કરાવવામાં નહીં આવતા જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આજે નોટીસ કાઢીને શાળાઓને જરૂરી દસ્તાવેજો દિન 7માં જમા કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે જે શાળાઓ જો 7 દિનમાં આ દસ્તાવેજો જમા નહીં કરે તો તેમને કાંઇ કહેવું નથી એમ કહીને તેમની સામે કાર્યવાહી કરવાની ચિમકી પણ શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.જેને પગલે શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.