બરોડા મેનેજમેંટ એસોસીએશન (બીએમએ) દર વર્ષે ખેડૂતોને આધુનિક અને સુધારેલી ખેત પધ્ધતિઓનું માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવા કૃષિ પરિસંવાદનું આયોજન કરે છે. તદઅનુસાર, આ વર્ષે બદલાતા પર્યાવરણમાં ખેતીની કામગીરી વિષયક ખેડૂતોને ઉપયોગી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે.
રાજ્યના કૃષિ નિયામક ડૉ. બી.આર.શાહ શુક્રવાર, તા.૯/૧૨/૨૦૧૬ના રોજ સવારના ૯.૩૦ કલાકે અકોટા સ્થિત ધી હોટલ ગેટ વે (તાજ) ખાતે તેનો શુભારંભ કરાવશે અને બદલાતા પર્યાવરણને સાનુકૂળ ખેત પધ્ધતિઓની છણાવટ કરશે.
પરિસંવાદના વિવિધ ક્ષેત્રોમાં વિવિધ પાકોના જીનેટીકલી મોડીફાઇડ બિયારણો, સંબંધિત સરકારી નીતિઓ અને તેનું ભવિષ્ય, માટીનું વિશ્વલેષણ અને એફસીઓ વિષયક સરકારની નવી નીતિઓ, ગુજરાત રાજ્યમાં ખાતરની ઉપલબ્ધિ અંગેની રૂપરેખા અંગે નિષ્ણાતો માર્ગદર્શન આપશે તથા સમુહ ચર્ચામાં ખેડૂત મિત્રોની મુંઝવણોમાં માર્ગદર્શન આપવામાં આવશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.