ટીમ ઇંન્ડિ કાલે એટલે શનિવારે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સીરીજની પહેલી રમત રમશે. આ મેચ સીડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ રમવામાં આવશે. મેચના એક દિવસ પહેલા એટલે આજે ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એક પ્રેસ કોંન્ફરન્સમાં હાર્દિક પંડ્યા અને રાહુલે મહિલાઓ ઉપર કરેલી આપત્તિજનક ટીપ્પણી ઉપર તેની પ્રતિક્રિયા આપી. તે દરમિયાન તેમણે કહ્યુ કે ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ અને જવાબદાર ક્રિકેટર હોવાના લીધે અમે તે ટિપ્પણી અને તેના વિચારોથી સહમત નથી. તેમણે કહ્યુ તે તેના ખુદના વિચાર છે. કોહલીએ કહ્યુ કે બંને કાલની સિડની વનડે માં રમવાનો નિર્ણય સીઓએ જ કરશે અને તમને જણાવી દઇએ કે સીઓએના સદસ્ય ડાયના એડુભ્જીએ બેનના મામલા પર કાયદાની મદદ માંગી તેમને લીગલ સેલ પાસે મોકલ્યો છે. હવે એડુલ્જીના નિર્ણય પછી સાફ ખબર પડશે કે બેન લાગશે કે નહી.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.