ગુજરાત સરકારે દાખલ કરેલાં શાળાઓના ફી નિર્ધારણ સમિતિના કાયદા સામે સંચાલકો તથા સરકારે સુપ્રિમમાં કરેલી અરજી અને કેવિએટના મુદ્દે આજે થયેલી સુનાવણીના અંતે સુપ્રિમ કોર્ટે સરકારના કાયદાને આડકતરું સમર્થન આપ્યું. સરકારે નક્કી કરેલી પ્રોવિઝનલ ફી સંચાલકો લઇ શકશે ઉપરાંત પ્રોવિઝનલ ફી કરતાં વધુ ફી જે શાળાઓએ લીધી હશે તે વાલીને પરત કરવી પડશે. સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદામાં હાલની ફી નિર્ધારણ સમિતિ નવેસરથી બનાવવાની સૂચના આપી તેમાં વાલીમંડળનો પણ સમાવેશ કરવાનો આદેશ કર્યો છે.
આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના અધિકારને સુપ્રિમ કોર્ટે માન્ય રાખ્યો છે. સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ ફી નિયમન એક્ટ સીબીએસસી સહિતના તમામ બોર્ડને લાગુ પડશે. ઉપરાંત વધારાના સુધારા હોય તો સંચાલકો કે વાલીઓએ બે અઠવાડિયાની અંદર આ અંગેની રજૂઆત રાજ્ય સરકારને કરવાની રહેશે. જેના પછીના બે અઠવાડિયામાં રાજ્ય સરકારે નવું ફીકસેશન જાહેર કરવાનું રહેશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.