શેરબજાર નિયમનકારી એજન્સી સેબીએ મ્યુચ્યુઅલ ફંડના રોકાણ પરના ચાર્જમાં મોટો ઘટાડો કર્યો છે. મ્યુચ્યુઅલ ફંડનો વ્યાપ વધારવા ચાર્જિસ માત્ર ૦.૦૫ ટકા કરી દેવાયો છે. સેબીના આ નિર્ણયના કારણે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારને સીધો ફાયદો થશે. મ્યુચ્યુઅલ ફંડમાં હાલ વધારાનો ખર્ચ ૦.૨ ટકાના દરે લેવાય છે. સેબીના ૨૯મીના નોટિફિકેશન પ્રમાણે હવે માત્ર ૦.૦૫ ટકા જ વધારાનો ખર્ચ લઇ શકશે. ઉલ્લેખનીય છે કે સામાન્ય બજેટમાં સરકારે કેટલીક જોગવાઇ કર્યા બાદ મ્યુચ્યુઅલ ફંડના કારોબારમાં ઘટાડો નોંધાયો હતો. સેબીના આ નિર્ણયના પગલે ખર્ચમાં ઘટાડો થવાના કારણે કારોબાર વધે તેવી શક્યતા મ્યુચ્યુઅલ ફંડના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૨માં સેબીએ મ્યુચ્યુઅલ ફંડને એક્ઝિટ લોડના પગલે સંચાલન હેઠળની એસેટ્સ-એયુએમ પર ૦.૨ ટકા ચાર્જિસ લેવા છૂટ આપી હતી. દરમિયાન જે રોકાણકારના ઈ-મેઈલ એડ્રેસ ઉપલબ્ધ નથી તેવા રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડના વાર્ષિક અહેવાલને ફિઝિકલ કોપી તેમજ અર્ધવાર્ષિક ધોરણે સ્કીમનો પોર્ટફોલિયો મોકલવાના નિયમને દૂર કર્યા છે. તેના બદલે એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ-એએમએફઆઇ અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસની વેબસાઇટ પર મુકાશે. સેબીના નિર્ણયના પગલે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના ખર્ચમાં પણ ઘટાડો થશે તેવી શક્યતા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.