જીએસટી કાઉન્સિલ આગામી સપ્તાહે મળી રહેલી તેની બેઠકમાં ચોક્કસ સેવાઓ ઉપરાંત સેનિટરી નેપ્કિન્સ, હેન્ડિક્રાફ્ટ અને હેન્ડલૂમ પ્રોડક્ટ્સ પરના દરમાં ઘટાડો કરે તેવી શક્યતા સેવાય છે. વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ અને હિસ્સેદારો અસંગઠિત ક્ષેત્રમાં ખાસ કરીને આરોગ્ય અને રોજગારી સાથે સંકળાયેલી ચીજો પર દરમાં ઘટાડો કરવાની માગ કરી રહ્યા છે. કાઉન્સિલ હિસ્સેદારો દ્વારા કરવામાં આવેલી માગની દ્રષ્ટિએ વિવિધ કોમોડિટીઓ પરના કરોમાં ઘટાડો કરવાના મુદ્દાને પણ હાથમાં લેશે. તે મુખ્યત્વે એવી ચીજો પર ધ્યાન કેન્દ્રિત કરશે જેનો મોટા ભાગના લોકો દ્વારા વપરાશ થાય છે અને તેની આવક પર ઓછી અસર હોય છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું. મોટા ભાગની હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ્સ પ્રોડક્ટ્સ તેમજ સેનીટરી નેપ્કિસન્સ પરની લેવીમાંથી મુક્તિ આપવાની માગ હોવા છતાં હાલમાં તેની પર 12 ટકા લેખે કર વસૂલવામાં આવે છે. જીએસટી કર વ્યવસ્થા હેઠળ 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા એમ ચાર સ્લેબ છે. પહેલી જુલાઇ 2017ના રોજ તે અમલમાં આવ્યા બાદ ડઝનેક જેટલી સ્થાનિક લેવી દૂર કરવામાં આવી છે અને અંતરાયવિહીન માલના પ્રવાહ સાથે ભારતને એક જ માર્કેટમાં સ્થાપિત કર્યું છે. જીએસટી કાઉન્સિલે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં તેની બેઠકમાં 54 સેવાઓ 29 ચીજો પરના જીએસટી દરમાં ઘટાડો કરવાનું નક્કી કર્યું હતું. નવેમ્બર 2017માં મળેલી તેની બેઠકમાં કાઉન્સિલે સૌથી વધુ 28 ટકાના સ્લેબમાંથી 178 ચીજોને દૂર કરી હતી તેમજ સ્થાપિત હોટેલ સિવાયના દરેક રેસ્ટોરન્ટ પરનો દર પાંચ ટકા સુધી રાખ્યો હતો. જીએસટીના પ્રથમ વર્ષ 2017-18માં સરકારે જુલાઇ સુધીમાં કરમાંથી રૂ. 7.41 કરોડની કમાણી કરી હતી. જ્યારે માસિક સરેરાશ વસૂલાત રૂ. 89.,885 કરોડના સ્તરે છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.