સુપ્રિમ કોર્ટના ગત સપ્તાહના નિર્ણય બાદ ટેલિકોમ કંપનીઓ અને સિમકાર્ડ યુઝર્સ અવઢવમાં ફસાયા હતા. સર્વોચ્ચ અદાલતે સિમકાર્ડ માટે આધાર જરૂરી નથી તેમ જણાવ્યું હતુ પરંતુ, ટેલિકોમ કંપનીઓ સામેથી જ આધાર કાર્ડનો અગાઉ એકત્ર કરેલો ડેટા નષ્ટ કરે અને નવા કાર્ડ માટે KYC કરવા અન્ય વિકલ્પો અંગે વિચાર કરવા અલ્ટીમેટમ આપ્યું છે. ભારતીય વિશિષ્ઠ ઓળખ વિભાગ (UIDAI)એ દૂરસંચાર કંપનીઓને મોબાઇલ સીમકાર્ડના વેરિફિકેશનનાં આધારિત પ્રણાલી બંધ કરવા માટેની યોજના 15 ઓક્ટોબર સુધીમાં જમા કરવા માટે જણાવ્યું છે. UIDAIએ નવામોબાઇલ સિમ આપવા માટે આધારનો ઉપયોગ નહી કરવા માટેની દિશામાં મહત્વનું પગલુ ઉઠાવ્યું છે. UIDAIએ સોમવારે આપેલા એક નિર્દેશમાં ટેલિકોમ કંપનીઓ પાસેથી 15 ઓક્ટોબર સુધીમાં પ્લાન જમા કરાવવા માટે જણાવ્યું છે. . આધાર ફરજીયાત નહી હોવાનાં ચુકાદાથી ટેલિકોમ ઓપરેટર્સને જુની વ્યવસ્થા લાગુ કરવી પડશે. સાથે જ પોતાની સિસ્ટમથી યુઝર્સને આધાર ડીલિંક કરવું પડશે. અર્થ સ્પષ્ટ છે કે સિમ લેવું એકવાર ફરીથી મોંઘુ અને મુશ્કેલ થઇ જશે. . ટેલિકોમ કંપનીઓને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. UIDAIની તરફથી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર (TSP)ને એક સર્કુલર ઇશ્યું કરવામાં આવ્યું છે. આ કંપનીઓ પાસે જવાબ માંગવામાં આવ્યો છે તેમાં એરટેલ, રિલાયન્સ જીયો, વોડાફોન-આઇડિયાની સાથે અન્ય કેટલીક કંપનીઓનો પણ સમાવેશ થાય છે. સર્કલરમાં લખવામાં આવ્યું છે કે તમામ કંપનીઓને કહેવામાં આવે છે કે તેઓ 26 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટનાં આદેશને ધ્યાનમાં રાખીને ઝડપથી એક્શન લે. હવે કપનીઓને 15 ઓક્ટોબર, 2018 સુધી જવાબ આપવાનો છે. .


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.