ગુજરાતમાંથી અનેક દેશોમાં ખેતપેદાશોની નિકાસ થાય છે. જેમાં તલનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં ઉત્પાદિત થતા લાલ, સફેદ અને કાળા તેમજ કાશ્મીરી તલની નિકાસ ગલ્ફ ઉપરાંત પશ્ચિમના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. આ વર્ષે વૈશ્વિક મંદીના કારણે ગુજરાતમાંથી થતી તલની નિકાસમાં 30-35 ટકાનો ઘટાડો થયો છે. પ્રાપ્ત માહિતિ અનુસાર વર્ષ 2017-18માં ગુજરાતમાંથી માત્ર રૂ.1724 કરોડના તલની નિકાસ થઈ છે. જેમ ગત વર્ષની સરખામણીએ 30-35 ટકા ઓછી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર વર્તમાન સમયમા અન્ય દેશો માત્રજરૂરીયાત પુરતા જ તલ ખરીદી રહ્યા છે. તેમના દ્વારા પહેલા તલનો સ્ટોક કરવામાં આવતો હતો. વિશ્વમાં ચાલી રહેલ મંદીના મોજાના કારણે તલની નિકાસમાં ઘટાડો થયો છે. પ્રાપ્ત માહિતિ અનુસાર ગુજરાતમાંથી વર્ષ 2017/18 માં 1,90,546 કિલો તલની નિકાસ કરવામાં અવી છે જે ગત વર્ષે 2,07,213 કિલોની નિકાસ થઈ હતી. રાજ્યમાંથી 120 દેશોમાં તલની નિકાસ કરવમાં આવે છે. દક્ષિણ કોરિયા સૌથી મોટુ તલનુ ખરીદદાર છે પરંતુ તેણે આયાત ઓછી કરી નાખી છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા નિકાસ પ્રોત્સાહન માટે MEIS યોજના શરૂ કરવમાં આવી છે પરંતુ તલની નિકાસ માટે કોઈ લાભ સરકાર દ્વારા આપવમાં ન આવતા નિકાસકારોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.