ભારતીય બેંકોને 9000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવનાર વિજય માલ્યા હાલ ભારતથી ફરાર છે, જો કે મુંબઈ કોર્ટે વિજય માલ્યાને ઈડીની નોટિસનો જવાબ આપવા માટે સમય આપ્યો છે. અગાઉ વિજય માલ્યાના વકીલે કોર્ટને કહ્યું હતું કે જવાબ આપવા માટે માલ્યાને થોડો વધુ સમય જોઈએ છે. મની લોન્ડ્રિંગ મામલામાં ફરાર માલ્યાના મામાલે મુંબઈની પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. મુંબઈની અદાલતે વિજય માલ્યાને ઈડીની નોટિસનો જવાબ આપવા માટે અનુમતિ આપી દીધી છે. કોર્ટે માલ્યાને જવાબ આપવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે. હવે 24 સપ્ટેમ્બર સુધીમાં માલ્યાએ પોતાનો જવાબ આપવાનો રહેશે. બાદમાં કોર્ટ આ મામલે સુનાવણી અંગે ફેસલો કરશે. ઈડીએ માલ્યાને ભાગેડુ જાહેર કરવાની કોર્ટ પાસે માગણી કરી છે. વકીલે કોર્ટને કહ્યું હતું કે હજુ સુધી નોટિસ મળી નથી ત્યારે તેમને જવાબ આપવા માટે થોડો વધુ સમય આપવામાં આવે. જણાવી દઈે કે માલ્યા હાલ લંડનમાં છે અને તેને ભારત લાવવાની તમામ શક્ય કોશિશો થઈ રહી છે. અગાઉ કોર્ટે આ મામલાની સુનાવણી 3 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધી હતી કેમ કે 9000 કરોડ રૂપિયાના ડિફોલ્ટર અને કથિત દગાબાજીના મામલામાં કેટલાક લોકોએ પક્ષકાર બનાવવાનો અનુરોધ કર્યો હતો.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.