ભારતનો આજે 69મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે દુનિયા ભરના નેતાઓ એ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુભેચ્છા ભર્યો સંદેશા મોકલ્યો હતો. તમને જણાવી દઇએ કે આ ખાસ દિવસે આસિયાનના 10 રાષ્ટ્રઅધ્યક્ષ મુખ્ય મહેમાનો આ પરેડમાં જોડાયા હતા. રૂસના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને પણ શુભેચ્છા આપી હતી. જેમણે રાષ્ટ્રપતિને પત્ર લખી શુભેચ્છા આપી હતી. તેમણે લખ્યુ કે આર્થિક, સામાજીક, વૈજ્ઞાનિક, ટેક્નિકલ અને અન્ય ક્ષેત્રમાંં ભારતની પ્રગતિ દુનિયામાં જગજાહિર છે.ભારતે આંતરરાષ્ટ્રીય સ્થિરતા અને સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સાથે જ ક્ષેત્રીય અને ગ્લોબલ એજંડના સમાધાનમાં પણ ભારતની ભુમિકા મહત્વની બની છે. ભારત અને રૂસની દોસ્તીની વાત કરતા પુતિને પત્રમાં લખ્યુ કે માસ્કો ભારત સાથેની દોસ્તીને ખુબ મહત્વ આપે છે. ભારતની સાથે રૂસનો સંબંધ ખુબજ ખાસ અને રણનીતિની ભાગીદારી વાળો છે. પુનિતે છેલ્લે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાસ્થ્ય અને સફળતાની પ્રાથના કરી અને કરોડો ભારતીયોની સફળતાની પણ પ્રાથના કરી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.