કેન્દ્ર સરકાર જીએસટી રિટર્ન ભરવાની પ્રક્રિયા સરળ બનાવવા ચોમાસુ સત્રમાં ખરડો લાવવાની તૈયારી કરી રહી છે. આ ખરડા દ્વારા જીએસટીને લઈને ફેલાયેલ ભ્રમ અને શંકાઓ દૂર કરવામાં આવશે. પ્રસ્તાવીત ખરડામાં એક હપ્તા યોજનામાં પણ ફેરફાર કરવામાં આવશે જેથી નાના વેપારીઓ પોતાના વેચાણના આધારે કર ભરી શકે. સરકાર જીએસટીમાં ત્રણને બદલે દર મહિને એક રીટર્ન લાવવાની તૈયારી કરી રહી છે. આ ફેરફાર પછી વેપારીઓએ જીએસટીઆર-૨ અને જીએસટીઆર-૩ ફોર્મ નહી ભરવા પડે. હાલમાં ત્રણ રીટર્ન ભરવાની વ્યવસ્થા છે પણ સરકારે નાના વેપારીઓને તેમા છુટ આપેલી છે. જીએસટી પરિષદે મે મહિનામાં જ રીટર્ન ભરવાનુ સરળ બનાવવા એક રીટર્ન સીસ્ટમને મંજુરી આપી હતી. તેના લીધે નાના વેપારીઓએ ત્રિમાસિક રીટર્ન ભરવાના રહેશે. જીએસટી પરિષદના અધિકારીઓએ કહ્યુ કે હાલમાં અમે કરના દરમાં ફેરફારની જગ્યાએ રીટર્ન સરળ બનાવવા ઉપર ધ્યાન આપી રહ્યા છીએ. ટેક્ષ રીફંડની કાર્યવાહી ઝડપી બને અને કરચોરી પણ રોકાય એવી કોશિષ સરકાર કરી રહી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.