ગાંધીનગર – ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધતી જાય છે. રેડઝોનમાં આ પોઝિટીવ કેસોની સંખ્યા જોતાં આ ઝોનમાં લોકડાઉનનો કડક અમલ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચના આપી છે. એક જ દિવસમાં 326 કેસનો રેકોર્ડ થયો છે અને 22 નાં મોત થયાં છે. ગુજરાતમાં મૃત્યુઆંક હજી પણ પાંચ ટકા છે જે દેશભરમાં ટોચપર છે.
બીજી તરફ 123 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાં છે. અમદાવાદમાં એક જ દિવસમાં 267 કેસો સામે આવ્યા છે. સુરત અને વડોદરામાં પણ બે આંકડામાં કેસ વધતા રહ્યાં છે. વેન્ટીલેટર પર 36 દર્દીઓ છે. અત્યાર સુધીમાં કુલ 236 મોત થયાં છે અને 736 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.
ગુજરાતની સાડા છ કરોડની વસતી પૈકિ અત્યાર સુધીમાં કુલ 68774 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 64053 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. ડિસ્ચાર્જ થયેલા વ્યક્તિઓની સૌથી વધુ 83ની સંખ્યા અમદાવાદની છે. રાજ્યમાં 40126 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા છે જ્યારે સરકારી ફેસિલિટીમાં 3600 તેમજ પ્રાઇવેટ ફેસિલિટીમાં 145 લોકો છે.
ગુજરાતમાં સૌથી વધુ 3293 પોઝિટીવ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં સૌથી વધુ 165 દર્દીના મોત થયાં છે, જ્યારે 399 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. વડોદરામાં 308 અને સુરતમાં 644 કેસ છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.