સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. તેવામાં અંદાજીત એકાદ મહિના પહેલાં ધાંગધ્રા ખાતે રહેતા યુવક ને સીટી પોલીસ મથકે બોલાવી ખંડણી માંગી હોવાના આરોપસર ફરિયાદના આધારે લોકઅપ માં બંધ કરી પોલીસ દ્વારા માર મારતાં યુવક ની બંને કિડની ફેલ થઈ જતા સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે અંગે પોલીસ દ્વારા કોઇ જ ફરિયાદ લેવામાં ન આવતા યુવકના પરિવારજનોએ જિલ્લા પોલીસ વડા તેમજ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. રજૂઆત માં જણાવ્યા મુજબ તેમની પાસે ખંડણી માંગી હોવાનું જણાવી ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો જેને લોકઅપ માં બંધ કરી રાત્રી ના સમયે પોલીસ સ્ટાફ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેમાં પુત્ર સોયબે જણાવ્યુ કે પી.આઇ એન.કે.વ્યાસ એ વધુ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે યુવક ના પરિવારજનો એ અનેક વખત ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા હતા. પરંતુ પોલીસ દ્વારા કોઈપણ જાતની ફરિયાદ લેવામાં આવતી નથી અને છેલ્લા દસ દિવસથી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. પોલીસ ના મારનો ભોગ બનનાર યુવક હાલ સારવાર હેઠળ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે ત્યારે આ અંગે યુવક ના પરિવારજનો એ જીલ્લા કલેકટર તેમજ જીલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી ન્યાયિક તપાસ કરી જવાબદાર પોલીસ અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને જો ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.