ચોટીલા ની બાજુ એ આવેલ આશરે 22 કિલોમીટર ના અંતરે ધાંધલપુર પંજાબ નેશનલ બેંક દ્વારા નાણાંકીય જાગૃતકર્તા શિબિરનું આયોજન કરવામાં આવેયું હતું. આ શિબિર માં બેંક મેનેજર નઝીરભાઈ પંજવાણી અને કૃષિ અધિકારી ચંદ્રશેખર સુમને જણાવ્યું હતું કે ગ્રામજનોને બેન્કની વિવિધ યોજનાઓ તેમજ સરકારી યોજનાઓ જેવીકે અટલ પેંશન યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમાં યોજના, જીવનજ્યોતિ વીમાં યોજના, પ્રધાનમંત્રી જન ધન યોજના,બેંક રીકરીંગ, ફિક્સ ડિપોઝીટ, ફિક્સ ડિપોઝીટ સ્કીમ, કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓથી ગ્રામજનોને વાકેફ કરવામાં આવ્યા હતા.
તેઓએ વધુ માં જણાવ્યું હતું કે પંજાબ નેશનલ બેંકની સ્થાપના આઝાદીના સમયે લાલાલજપત રાય દ્વારા કરવામાં આવેલ હતી.અને આઝાદીના સમય માં બેંકનું ધણું મોટું યોગદાન પણ હતું. ધાંધલપુર ગામના રહીશ ભાવેશભાઇ એ જણાવ્યું કે બેંક દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર ગ્રામજનોને બેક દ્વારા વિવિધ યોજના ઓનો લાભ લેવા આહવાન કર્યું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.