ફી નિર્ધારણ ના કાયદાનું અમલીકરણ અને વાલીઓ પાસેથી બેફામ ઉઘરાવતી શાળા સંચાલકો સામે કાર્યવાહીની માંગ સાથે ગુજરાત વાલીમંડલ દ્વારા ગુજરાત શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે સુરતમાં આ બંધને કોઈ સમર્થન પ્રાપ્ત નથી થયું,જેની પાછળ અમદાવાદ વાલી મંડળ જવાબદાર હોવાનું સુરતના વાલી મંડળના સભ્યોએ આક્ષેપ કર્યો છે. વાલીઓ પાસેથી બેફામ ઉઘરાવતી શાળાઓ સામે છેલ્લા લાંબા સમયથી લડત ચલાવી રહેલા સુરતના વાલી મંડળના સભ્ય યુસુફભાઈએ પઠાણે જણાવ્યું કે ,બંધનું એલાન કોઈ પણ પ્રકારના આયોજન વિના આપવામાં આવ્યું છે. માટે અમદાવાદ ના વાલી મંડળના મુખ્ય સભ્ય જવાબદાર છે. વાલીઓ માં અવેરનેસ આવે તેવા કોઈ કાર્યક્રમ કર્યા વિના જ આ શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેથી વાલીઓ સ્વરીતે બંધમાં જોડાયા નથી.જેના કારણે વાલીઓએ પોતાન બાળકોને શાળાએ મોકલવા પડયા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.