ગોંડલના ઉમરાળા રોડ પર રામરાજ જીનિંગમાં આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી આગનો આજે આઠમો દિવસ છે. આગ હજી સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. આગમાં સરકારે ટેકાના ભાવે ખરીદ કરેલી 2 લાખ મગફળીની ગુણી બળીને ખાખ થઇ ગઇ છે. જેના કારણે 28 કરોડની મગફળી બળીને ખાખ થઇ ગઇ છે. આ અંગેની તપાસ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. આજે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચના ડીઆઇજી દીપાંકર ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, વેલ્ડિંગથી આગ લાગી છે. આથી ગોડાઉન માલિક સહિત વેલ્ડિંગ કરનારા સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.ત્યારે સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી દીપાંકર ત્રિવેદી આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને કોઇ મોટો ધડાકો કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. સહકારી ક્ષેત્રના આગેવાનોએ એવો આક્ષેપ કર્યો હતો કે, અત્યાર સુધી મગફળીની ટેકાના ભાવે ખરીદીનું કામ ગુજકોમાસોલ કરતી હતી, પંરતુ આ વખતે તેને માત્ર 10 ટકા જ કામગીરી સોંપવામાં આવી છે, જ્યારે મોટાભાગની ખરીદીની જવાબદારી તેના બદલે ફડચામાં ગયેલી ગુજકોટને આ કામગીરી સોંપવામાં આવી છે તે બાબતે રાજ્યના એક પૂર્વ મંત્રીએ પણ ગંભીર આક્ષેપો કર્યા બાદ આ કાંડ બન્યો છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.