વર્ષ ૨૦૨૨ સુધીમાં દરેક લોકોને ઘરના ઘર આપવાના પ્રધાનમંત્રી ના સ્વપ્ન ને સાકાર કરવામાં રાજકોટ મહાનગર પાલિકા આગળ વધી રહી છે.. પછાત વિસ્તાર બાદ હવે વેસ્ટ ઝોન એટલે કે ન્યુ રાજકોટ માં આવાસ યોજના બનાવવામાં આવશે.. કેન્દ્ર સરકાર ની ૩૩૩.૨૪ કરોડ ની ગ્રાન્ટ માંથી કુલ ૨૨૭૨ મકાન બનાવવામાં આવશે.. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાય થી બનાવવામાં આવતી વિવિધ પ્રકારની આવાસ યોજનાઓ મોટા ભાગે ઇસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન હેઠળના પછાત વિસ્તારમાં જ બનાવાવમાં આવી છે.. પરંતુ હવે રાજકોટ મનપા આગામી દિવસો માં શહેરના પોષ વિસ્તાર સમાં પશ્ચિમ ઝોન હેઠળ આવતા કાલાવડ રોડ સહીત ના પાંચ સાઈટ પર પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવા જઇ રહી છે.. કેન્દ્ર સરકાર ની રૂપિયા ૩૩૩.૨૪ કરોડ ની ગ્રાન્ટ માંથી મનપા દ્વારા કુલ ૨૨૭૨ મકાન બનાવવામાં આવશે જે અંગે રાજ્ય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે અને કેન્દ્ર સરકારની મંજુરી લેવામાં આવી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.