VHPના ભૂતપૂર્વ આંતર રાષ્ટ્રીય પ્રમુખ અને હિન્દુવાદી નેતા પ્રવીણ તોગડીયાની કારનો સૌરાષ્ટ્રના ગોંડલ નજીક ફરી અકસ્માત થયો છે. કાર અકસ્માતમાં તોગડીયાને કોઈ ઈજા પહોંચી નથી. આ ઉપરાંત અન્ય કાર ચાલકોમાંથી પણ કોઈ જાનહાની કે ઈજાના સમાચાર મળી રહ્યા નથી.
વિગતો મુજબ તોગડીયા રાજકોટના ગોંડલ નજીકના હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની કાર સાથે અન્ય કાર ભટકાઈ ગઈ હતી. અકસ્માત થવાના કારણે કારને નુકશા પહોંચ્યું હતું પરંતુ સદ્દનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
નજીકના ભૂતકાળ પર નજર કરીએ તો અગાઉ તોગડીયાએ પોતાની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે આ અકસ્માતને પગલે તોગડીયાએ પોતાની સુરક્ષામાં છીંડા હોવાનું કહ્યું હતું. તોગડીયા વડોદરાથી પ્લસ સુરક્ષા સાથે સુરતના સચીન વિસ્તારમાં શ્રી હરિ કોમ્પલેક્સમાં સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યાં હતાં.
કામરેજ નજીક મનીષા હોટલ પાસે ટ્રેલર નંબર GJ-01 DX- 0893 ની ટક્કરથી પ્રવીણ તોગડીયાની સ્કોર્પિયો કાર અથડાઈ હતી. જેમાં કારને નુકસાન થયું હતું. જ્યારે તોગડીયાનો બચાવ થયો હતો. પોલિસ દ્વારા તેમને અન્ય કાર મારફતે સૂરત જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પ્રવીણ તોગડીયાએ તે વખતે કહ્યું હતું કે, મારી સુરક્ષા સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. મને યોગ્ય સુરક્ષા આપવામાં આવી નથી. ડ્રાઈવરે ટ્રક રોકી નહોતી. મેં જ ડ્રાઈવરને પકડાવી દીધો છે અને એસપીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાત કરી લીધી છે. આ ઘટનાની યોગ્ય તપાસ થાય તેવી મારી માગણી છે