લોકસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલ પોતે ચૂંટણી લડવી કે કેમ તેના પર અસમંજસમાં જોવા મળે છે. રાજકોટમાં હાર્દિક પટેલે નિવેદન આપ્યુ હતુ કે, 2019માં લડુ કે નહીં તે નક્કી નહીં પણ ચૂંટણી લડીશ એ ચોક્કસ છે. આમ તેણે ચૂંટણી લડવાની તૈયારી પણ દર્શાવી અને 2019માં ચૂંટણી લડશે કે કેમ તેનો ફોડ પાડ્યો ન હતો. રાજકોટમાં કનૈયા કુમારની સંવિધાન બચાવ રેલીમા તે ઉપસ્થિત રહ્યો. જોક તે પહેલા આયોજિત પત્રકર પરિષદમાં તેણે ચૂંટણી લડવા પર પ્રતિક્રિયા આપી હતી
પાસ નેતા હાર્દિક પટેલ જેએનયુના પૂર્વ વિદ્યાર્થી કનૈયાકુમાર અને જીજ્ઞેશ મેવાણી આજે રાજકોટમાં છે. ત્યારે સંવિધાન બચાવો દેશ બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી પૂર્વે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કનૈયાકુમારે હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી હાજર રહ્યા હતા જેમાં સરકાર પ્રહાર કાર્ય હતા તો બીજી તરફ દેશદ્રોહને લઇ ને પણ વાત કરી હતી મને દેશદ્રોહી કહે છે પણ મારો ભાઇ સીઆરપીએફમાં જવાન હતો અને શહીદ થયો હતો. મોદીને ચેલેન્જ છે કે મારા પરનો આરોપ સાબિત કરી બતાવે. મોદીને ઉદ્દેશીને કહ્યું હતું કે, આપ જાનેવાલે હૈ અચ્છે દિન આનેવાલે હૈ. તો બીજી તરફ ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, હું લોકસભાની ચૂંટણી નહીં લડુ મારા ખોટા મેસેજ ફરે છે.
કનૈયાકુમારે વધુમાં જણાવ્યું હતું કે, મેં દેશ વિરોધી નારા લગાવ્યા હોત તો જેલમાં હોત. જય જવાન, જય કિસાન, જય સંવિધાનના નારા સાથે રેલીનું આયોજન કરીએ છીએ. મારી માતા આંગણવાડીમાં કામ કરે છે. મારા પર આરોપ છે, દિલ્હી પોલીસે ચાર્જસીટ દાખલ કરી જેમાં દિલ્હી સરકારની મંજૂરી લીધી ન હતી. પ્રધાનમંત્રીને સવાલ કરીએ તો તેની આસપાસના લોકો કહે છે કે સવાલ કેમ કરો છો ગાયબ કરી દેશું. વિરોધ કરવો હોય તે વિરોધ કરે અમે ડરવાના નથી. મોદી પર પ્હાર કરતા કનૈયાકુમારે જણાવ્યું હતું કે, અનિલ અંબાણીનું પીઠબળ છે છતાં તેઓ અમારાથી ડરે છે. અમારી પાસે કોઇ પીઠબળ નથી છતાં અમે લડીએ છીએ. અમે તમારી 56ની છાતી માપી નથી. જો 56ની છાતી હોય તો મને જેલમાં કેમ નથી ધકેલતા. મારી ઘરે સીબીઆઇ, ઇન્કમટેક્સ મોકલી દો તમારાથી એ ડરશે જે તમારી ચોરીમાં ભાગીદાર હોય. અમે કાચા મકાનમાં રહીએ છીએ. દેશનો મતલબ પ્રધાનમંત્રી નથી, મોદી નથી, દેશનો મતલબ સવાસો કરોડ દેશવાસીઓ છે. હું ભારતમાતાની જય પણ બોલું છું, જય હિન્દ પણ બોલું છું.