મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના હોવાને કારણે કોંગ્રેસે રાજકોટ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. કોંગ્રેની નેતાગીરી પાટીદાર આંદોલનનો ફાયદો લેવા માટે પોતાના વર્તમાન ધારાસભ્ય ઈદ્રનીલ રાજયગૂરૂની બેઠક ખાલી કરાવી કોઈ પાટીદાર નેતાને ચૂંટણી લડાવવા માગે છે.
કોંગ્રેસમાં થઈ રહેલી વિચારણા પ્રમાણે હાલમાં રાજકોટ શહેર અને ગ્રામ્યની કુલ ચાર બેઠકો છે. જેમાં કોંગ્રેસ પાસે માત્ર ઈદ્રનીલની એક જ બેઠક છે. ઈદ્રનીલ રાજકોટ વેસ્ટમાંથી ચૂંટાયા છે, પણ કોંગ્રેસ તેમની બેઠક ખાલી કરાવી તે બેઠક કોઈ પાટીદારને આપવા માગે છે અને ઈદ્રનીલને આ બેઠક પરથી ખસેડવા માગે છે. જ્યારે રાજકોટની તમામ પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો હોવાથી ત્યાં પણ યોગ્ય ઉમેદવાર પસંદ કરી ચારમાંથી ત્રણ બેઠકો કબજે કરવાનો તેમનો પ્રયાસ છે.
જો કે ઈદ્રનીલ માત્ર 4272 મતોથી ગત ચૂંટણી જીત્યા હતા જ્યારે રાજકોટ વેસ્ટ 24978 અને સાઉથ 28477 અને ગ્રામ્ય 11466 મતોથી કોંગ્રેસ હારી હતી, આમ કોંગ્રેસ જે બેઠકો ઉપર જીત મેળવી શકાય તેવો દાવો કરે છે, તેના ચઢાણ કપરા છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.