Yogi Adityanath: ભાજપની સરકાર બનશે તો PoKને જમ્મુ-કાશ્મીરમાં સામેલ કરવામાં આવશે.
Yogi Adityanath: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે શું તેઓ નેશનલ કોન્ફરન્સે જમ્મુ-કાશ્મીર માટે અલગ ધ્વજ વિશે જે કહ્યું છે તેનું સમર્થન કરે છે?
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી Yogi Adityanath રામગઢમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં રેલી યોજી હતી. આ દરમિયાન યોગી આદિત્યનાથે ઘાટીના લોકોને એક મોટું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે જો ભાજપ ફરી સત્તામાં આવશે તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) જમ્મુ-કાશ્મીરનો એક ભાગ બની જશે. સીએમ યોગીએ કહ્યું કે અહીં ભાજપ સત્તામાં પરત ફર્યા બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ જમ્મુ-કાશ્મીરનો ભાગ બનવા જઈ રહ્યું છે. પાકિસ્તાનમાં આ વાત જ હલચલ મચાવી રહી છે, તેઓ પોતાની લોકશાહી બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
સીએમ યોગીએ કહ્યું કે એક તરફ ભારત છે અને બીજી તરફ પાકિસ્તાન છે, ખાવાની અછત છે, સ્વાભાવિક રીતે જ ગરીબ પાકિસ્તાન આજે પોતાની જાતને સંભાળી શકતું નથી, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર તેનાથી અલગ થવા માટે અવાજ ઉઠાવી રહ્યું છે. PoKના લોકો કહી રહ્યા છે કે અમને પણ જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર છે. બલૂચિસ્તાન કહી રહ્યું છે કે અમારી કેમેસ્ટ્રી પાકિસ્તાન સાથે મેળ ખાતી નથી. કારણ કે પાકિસ્તાન માનવતાનું દુશ્મન છે, માનવતાનું કેન્સર છે. વિશ્વને આ કેન્સરમાંથી મુક્ત કરવું પડશે.
#WATCH | Ramgarh, J&K: Uttar Pradesh CM Yogi Adityanath says, "…After BJP’s return (to power) here, Pakistan-occupied Kashmir is also going to be a part of Jammu and Kashmir. And this is the commotion in Pakistan, they are struggling to save their democracy…On one side there… pic.twitter.com/LdVBMHdeC3
— ANI (@ANI) September 26, 2024
સીએમ યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
જનસભાને સંબોધતા સીએમ આદિત્યનાથે કહ્યું કે હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે શું તેઓ નેશનલ કોન્ફરન્સે જમ્મુ-કાશ્મીર માટે અલગ ધ્વજ અંગે જે કહ્યું છે તેનું સમર્થન કરે છે? શું રાહુલ ગાંધી આર્ટિકલ 370 અને 35A પાછી લાવવા અને જમ્મુ અને કાશ્મીરને અશાંતિ અને આતંકવાદના યુગમાં ધકેલવાની નેશનલ કોન્ફરન્સની માંગને સમર્થન આપે છે? શું કોંગ્રેસ કાશ્મીરના યુવાનોના ભોગે પાકિસ્તાન સાથે વાત કરીને ફરીથી અલગતાવાદને પ્રોત્સાહન આપવાનું સમર્થન કરે છે?