કર્ણાટકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને ભાજપને માત આપી છે. ભાજપને મોટો ફટકો પડ્યો છે. પાંચ બેઠકમાંથી ચાર પર ગઠબંધન જીત તરફ છે. હાલમાં ચાલી રહેલી રામ મંદિરના મુદ્દા બાદ પણ કર્ણાટકના લોકોએ ભાજપને નકારી કાઢ્યો છે.
કોંગ્રેસે એએસનયામાગૌડાએ જામખાડીમાં 39480 સાથે સરસાઈ મેળવી છે. કૉંગ્રેસના ધારાસભ્ય સિદ્દૂ ન્યામગૌડાના નિધન બાદ જમખડી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જ્યારે જેડીએસના અનીથા કુમારાસ્વામીએ રામનગરમમાંથી 105294 વોટની સરસાઈ હાંસલ કરી છે. . રામનગરમ વિધાનસભા બેઠક મુખ્યમંત્રી કુમારસ્વામીના છોડવાના કારણે ખાલી થઈ હતી. આ ઉપરાંત બેલ્લારીના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં કોંગ્રેસના ઉમેદવારે 214826 વોટથી આગળ છે. કોંગ્રેસની જીત નિશ્ચિત મનાય છે.
ભાજપ માત્ર શિમોગા લોકસભા બેઠક પર આગળ છે. શિમોગા બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના પુત્ર બીવાય રાધવેંદ્ર ઉમેદવાર છે. મંડ્યા લોકસભા બેઠક પર પાંચ રાઉન્ડની ગણતરી બાદ જેડીએસ 109066 મતથી આગળ છે. બેલ્લારી, મંડ્યા લોકસભા બેઠક અને જામખંડી, રામનગર વિધાનસભા બેઠક પર કૉંગ્રેસ જેડીએસ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે.
કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવશે. શિમોગા, બેલ્લારી અને મંડ્યા લોકસભા બેઠકો પર ભાજપને કૉંગ્રેસ-જેડીએસ તરફથી ટક્કર મળવાની શક્યતા છે. ત્રણેય ખાલી બેઠકોમાં બે ભાજપ પાસે અને એક જેડીએસ પાસે હતી. મત ગણતરી સવારે આઠ વાગ્યેથી શરૂ થઈ ગઈ છેજ્યારે આ પેટા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધન ભાજપ વચ્ચે છે. પેટાચૂંટણીમાં 67 ટકા મતદાન થયું હતું. તમામ બેઠકો પર કુલ 31 ઉમેદવારો મેદાનમાં હતા. પાંચમાંથી ચાર બેઠકો રાજીનામાના કારણે જ્યારે એક બેઠક ધારાસભ્યના નિધનના કારણે ખાલી થઈ હતી.