Manipur Violence: મણિપુર હિંસા માટે CM બિરેન સિંહે માંગી માફી, કહ્યું- ‘વર્ષ 2024 દુર્ભાગ્યપૂર્ણ રહ્યું’
Manipur Violence મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે 2023માં રાજ્યમાં થયેલી હિંસા માટે માફી માંગી છે. આ વર્ષને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા, તેમણે રાજ્યના લોકો પાસેથી ક્ષમાની અપીલ કરી અને કહ્યું કે રાજ્યના ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા અને તેમના ઘર છોડવા માટે મજબૂર થયા તેનો તેમને ખૂબ જ અફસોસ છે.
#WATCH | Imphal: Manipur CM N Biren Singh says "This entire year has been very unfortunate. I feel regret and I want to say sorry to the people of the state for what is happening till today, since last May 3. Many people lost their loved ones. Many people left their homes. I… pic.twitter.com/tvAxInKPdg
— ANI (@ANI) December 31, 2024
Manipur Violence સીએમ બિરેન સિંહે કહ્યું, “આ આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે. હું દિલગીર છું અને 3 મેથી અત્યાર સુધીમાં રાજ્યની જનતાની માફી માંગવા માંગુ છું. ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને ઘણાને તેમના ઘર છોડવા પડ્યા છે. હું હું ખરેખર દિલગીર છું.” તેમણે એમ પણ કહ્યું કે 2024 સુધીમાં રાજ્યમાં શાંતિ અને સામાન્યતા પુનઃસ્થાપિત થવાની અપેક્ષા છે અને છેલ્લા કેટલાક મહિનામાં હિંસામાં ઘટાડો થયો છે, જે આશાનું કિરણ છે.
રાજ્યના તમામ સમુદાયોને અપીલ કરતા, સીએમએ કહ્યું, “જે થયું તે થઈ ગયું, આપણે હવે નવી શરૂઆત કરવી પડશે. આપણે બધાએ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ મણિપુર માટે સાથે મળીને કામ કરવું પડશે.”
મણિપુર હિંસા અંગે સીએમએ કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ 200 લોકો માર્યા ગયા છે અને 12,247 એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે 625 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને મોટી માત્રામાં વિસ્ફોટક, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. કેન્દ્ર સરકારે વિસ્થાપિત પરિવારો માટે પૂરતું રક્ષણ અને ભંડોળ પૂરું પાડ્યું છે, અને તેમના માટે નવા મકાનો બાંધવા માટે ભંડોળની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.