કેન્દ્રીય નાણાં મંત્રાલયે ભાગેડુ અપરાધી દાઉદ ઈબ્રાહિમ અને તેના પરિવારની મુંબઈના પાકમોદિયા સ્ટ્રીટ એરિયા સ્થિત ત્રણ સંપત્તિઓમાંથી એકની હરાજી માટે બોલી આમંત્રિત કરી છે. ‘સ્મગલર્સ એન્ડ ફોરેન એકસચેન્જ મેનિપ્યુલેટર્સ’ અંતર્ગત આ હરાજી ૯ ઓગસ્ટના રોજ યોજાશે. આના માટે અખબારોમાં પ્રકાશિત નોટિસ અનુસાર આ પ્રોપર્ટી અકિલા શહેરના મધ્યભાગમાં આવેલા ભિંડી બજારમાં છે અને મસુલા બિલ્ડીંગ નામથી જાણીતી છે. આ હરાજી માટે ૭૯.૪૩ લાખ રૂપિયા બેઝ પ્રાઈઝ રાખવામાં આવી છે. હરાજીમાં ભાગ લેનારે ૨૫ લાખ રૂપિયા બહાના પેટે મૂકવાના રહેશે, જે ૬ ઓગસ્ટ સુધી જમા કરાવવાના રહેશે. સંપત્ત્િ।ની સાર્વજનિક હરાજી ૯ ઓગસ્ટના રોજ વાઈ વી ચવ્હાણ સભાગૃહમાં સવારે ૧૦થી ૧૨ સુધી રાખવામાં આવશે. ગત વર્ષે પણ દાઉદની ત્રણ સંપત્તિની હરાજી કરવામાં આવી હતી. જેને સૈફી બુરહાની અપલિફટમેન્ટ ટ્રસ્ટે ૧૧.૫૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી. સેફમા કાયદા અંતર્ગત આ ઉપરાંત મુંબઈ, ઔરંગાબાદ, વલસાડ, દમણ, સૂરત અને અમદાવાદમાં નવ સંપત્તિઓની હરાજી માટે પણ બોલી આમંત્રિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ૨૦ એપ્રિલે કેન્દ્રને આ સંપત્તિઓની જવાબદારી લેવાનું કહ્યું હતું. ત્યારબાદ આ સંપત્તિની હરાજી માટે એકશન લેવામાં આવી છે. દાઉદની મા અમીના બી કારકર અને બહેન હસીના પારકરે એનફોર્સ ડિપાર્ટમેન્ટ અને અન્ય એજન્સીઓની સંપત્તિના એટેચમેન્ટના આદેશ વિરુદ્ઘ કોર્ટમાં અરજી કરી હતી. તેને ફગાવતા કોર્ટે આ આદેશ આપ્યો હતો. આ ત્રણેય સંપત્ત્િ।ઓ ઝર્ઝરિત સ્થિતિમાં છે અને ભિંડી બજાર પુનર્વિકાસ યોજના અંતર્ગત આવે છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.