અનામિકા મિશ્રા અને તેમના મમ્મી શશિ મિશ્રા ભૂખ હળતાલ પર બેઠાં છે, આ બંને ‘બ્રેઇન ડિસ્ટ્રોફી’ નામની બીમારીના પીડિત છે. સારવાર કરાવવા માટે માં-દીકરીએ સરકાર સામે હાથ ફેલાવ્યા છે. કેટલાક દિવસો પહેલાં બંનેએ સરકારને એક પત્ર લખ્યો હતો પણ સામેથી કાંઇ જવાબ ના મળતાં માતા-પુત્રીએ હળતાલ પર બેસવાનો નિર્ણય લીધો.
અનામિકા મિશ્રાએ કહ્યું કે, ‘મેં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ભારતના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો છે.’ અનામિકાએ કહ્યું કે ‘કાંતો તેમને મેડિકલ સહાયતા આપ્વામાં આવે અથવાતો એમને ઇચ્છા મૃત્યુની મંજૂરી આપવામાં આવે. અધિકારીઓ તરફથી કોઇ પ્રતિક્રિયા નહીં મળે ત્યાં સુધી ભૂખ હળતાલ ચાલુ રહેશે.’
ઉલ્લેખનીય છે કે સોમવારે સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુ મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમ્માન સાથે મરવાનું એ નાગરિકોનો મૂળભૂત અધિકારીમાં આવે છે. પાંચ જનની સંવૈધાનિક બેન્ચે પોતાનો નિર્ણય સંભળાવતા પહેલાં મહત્વની ટીપ્પણી કરતા કહ્યું હતું કે વ્યક્તિને દર્દ વિના સમ્માનથી મરવાનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા આ પાંચ જજોની ખંડપીઠની અધ્યક્ષતા કરી રહ્યા છે. દરમિયાન જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે ‘જો કોઇ વ્યક્તિ કૃત્રિમ સપોર્ટ સિસ્ટમ પર જીવવા ના માગતા હોય તેવા દર્દીને ઇચ્છા મૃત્યુની મંજૂરી મળશે. કોઇપણ રીતે દર્દીને સાજો ના કરી શકાય તો કૃત્રિમ લાઇફ સપોર્ટ પર જીવવા માટે તેને મજબૂર ના કરી શકાય.’


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.