મોરબીના શનાળા રોડ પર એ-ડિવિઝન પોલીસની ટીમ રાત્રીના સમયે પેટ્રોલીગમાં હતી ત્યારે એક શકાસપદ હાલતમાં એક્ટિવા પસાર થતા તેને ચેક કરતા તેમાંથી એક પિસ્તોલ કિંમત રૂપિયા ૪૦ હજાર, ચાર કાર્તિસ કિંમત રૂપિયા ૪૦૦ , મોબાઈલ કિંમત રૂપિયા ૧૦ હજાર , મોટર સાયકલ કિંમત રૂપિયા ૩૦ હજાર આમ કુલ રૂપિયા ૮૦,૪૦૦ ના મુદમાલ સાથે એક્ટિવા પર સવાર દિવ્યરાજસિંહ ભૂપતસિંહ રાણા અને ઋતુરાજસિંહ ગિરિરાજસિંહ ઝાલા એ બંને આરોપીને દબોચી લેવાયા હતા જેમાં દિવ્યરાજસિંહ રાણાની તલાશી લેતા તેની પાસેથી પિસ્તોલ મળી આવી હતી જે પાછળ બેઠેલા ઇસમ ઋતુરાજસિંહ ઝાલાની હોવાની તેણે કેફિયત આપી હતી તો વળી પિસ્તોલમાં ચાર કાર્ટીસ લોડેડ હોય જેથી બંને આરોપી મોરબી કેમ આવ્યા હોય તેવી પૂછપરછમાં આરોપીઓએ માતાજીના દર્શન માટે આવેલા હોવાનું જણાવ્યું હતું જોકે બંને ઈસમને દબોચી લઈને આગવી ઢબે પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે એકટીવામાં પાછળ બેસેલો ઇસમ ઋતુરાજસિંહ નામનો આરોપી વર્ષ ૨૦૦૯ માં સુરેન્દ્રનગરમાં ખૂન કેસમાં ૨૦૧૧ માં આજીવન કેદની સજા પામ્યો હતો અને ૨૦૧૬ માં ૧૭ દિવસના પેરોલ રજા પર છૂટ્યો હતો અને આરોપીને ૨૬-૦૫-૨૦૧૬ ના રોજ રોજ હાજર થવાનું હતું પરંતુ આરોપી ફરાર હોય જેને દબોચી લેવાયો છે તો આરોપી પોતે ખૂન કેસમાં સંડોવાયેલો હોય જેથી કોઈ તેણે નુકશાની ના પહોંચાડે અને પોતાની સેફટી માટે તેણે પિસ્તોલ રાખી હોવાની પણ પોલીસ સમક્ષ કબુલાત આપી હતી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.