વેદો અને પુરાણોમાં અપ્સરા વિશે ઉલ્લેખવામાં આવ્યું છે. જેના પ્રમાણે ઇન્દ્રની સભામાં પ્રમુખ અપ્સરાઓ રહે છે. તેમાં મુખ્ય રંભા અને અન્ય કૃતસ્થલી, પુંજિકસ્થલા, મેનકા, પ્રમ્લોચા, અનુમ્લોચા, ધૃતાવી, વર્ચા, ઉર્વશી, પૂર્વચિત્તિ અને તિલોત્ત્મા હતી. ઋગ્વેદમાં ઉર્વશી પ્રસિદ્ધ અપ્સરા માનવામાં આવે છે. યજુર્વેદ પ્રમાણે પાણીમાં અપ્સરાઓનો વાસ થાય છે. ત્યાં જ, અથર્વવેદ પ્રમાણે પીપળા અને વડના વૃક્ષ અથવા અન્ય વૃક્ષ ઉપર અપ્સરાઓ રહતી હતી. સામવેદ પ્રમાણે ગાયન, નૃત્ય અને દેવી-દેવતાઓની પૂજા તેમનું મુખ્ય કામ હતું. પુરાણોમાં રંભા વિશે ઉલ્લેખવામાં આવ્યું છે કે તે સમુદ્રમંથન દ્વારા પ્રકટ થઇ હતી. ત્યાર બાદ ઇન્દ્રએ રંભાને પોતાની રાજસભામાં સ્થાન આપ્યું હતું. એક પ્રસિદ્ધ કથા પ્રમાણે રંભાએ વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરવાની કોશિશ કરી હતી. જેથી ગુસ્સે થઇને વિશ્વામિત્રએ તેને અનેક વર્ષો સુધી પત્થરની મૂર્તિ બની રહેવાનો શ્રાપ આપ્યો હતો. ત્યાર બાદ રંભાએ ભગવાન શિવ-પાર્વતીની પૂજાથી સામાન્ય શરીર પ્રાપ્ત કર્યું. અપ્સરા રંભાના નામથી જેઠ મહિનાના સુદ પક્ષની તીજનું વ્રત કરવામાં આવે છે. તેને રંભા તીજ કહેવામાં આવે છે. તેને કરવાથી સૌભાગ્ય અને સંતાન સુખ મળે છે અને પતિની ઉંમર પણ વધે છે. આ સિવાય ભગવાન વિષ્ણુની કૃપાથી કારતક મહિનાના વદ પક્ષની એકાદશીએ રંભા એકાદશી વ્રત કરવામાં આવે છે. જે ચાતુર્માસની છેલ્લી એકાદશી હોય છે. જેથી તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. આ વ્રત પણ ખાસ કરીને મહિલાઓ માટે છે.
