નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્રમાં સત્તા સંભાળતી ભાજપ સરકાર ઉપર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર ઉપર સંસ્થાઓને નબળી બનાવવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાના બ્રાઉન યુનિવર્સિટીને ઓનલાઈન સંવાદ દરમિયાન તેમણે કહ્યું કે સંસદમાં માઈક બંધ કરી દેવામાં આવે છે. તેમણે દાવો કર્યો છે કે ભાજપ સાંસદોએ મને જણાવ્યું કે સંસદમાં ખુલ્લી ચર્ચા નહીં કરી શકાય. તેમણે જણાવ્યું છે કે શું કહેવું છે તે બહું સીધી વાત છે.
રાહુલ ગાંધીએ અમેરિકાના બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસર આશુતોષ વાર્ષ્ણેયની સાથે ઓનલાઈન વાતચીતમાં આ દાવો પણ કરવામાં આવ્યો કે જો કોઈ ફેસબુક અને વ્હોટ્સએપને નિયંત્રિત કરી શકે છે તો ફરી લોકતંત્ર નષ્ટ થઈ શકે છે. તેમણે અમેરિકન સંસ્થા ફ્રીડમ હાઉસ અને સ્વીડનની સંસ્થા વી ડેમ ઈસ્ટિટ્યૂટની ભારતના સંદર્ભમાં કરવામાં આવેલી હાલની ટિપ્પણી વિશે સવાલ કર્યા હતા. તેમણે કહ્યું કે આ વિદેશી ગ્રુપ છે અને ભારતને આ સમૂહોની મોહરની જરુર નથી કેમ કે અહીં સ્થિતિ તેમનની કલ્પનાથી વધારે ખરાબ છે.
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે પાર્ટીમાં આંતરિક લોકતંત્ર પર ભાર મૂકે છે અને તેમણે એ ક્યારેય નથી કહ્યું કે કોંગ્રેસમાં ચૂંટણી ન થવી જોઈએ. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે એમ પણ કહ્યુ ચૂંટણી ફક્ત વોટ નાંખવા માટે નથી. આ તે નેરેટિવ વિશે છે, તે સંસ્થાઓ વિશે છે જે સુનિશ્ચિત કરે છે કે દેશમાં ઢાંચો યોગ્ય પ્રકારે ચાલી રહ્યો છે કે નહીં.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમે ભયંકર રુપે નોકરીની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. જો આ સમસ્યાનો હલ ન થયો તો ભારત આ વૈશ્વિક સ્થિતમાં નહીં હોય. જ્યાં તે ચીનથી આવનારા પડકારોનો સામનો કરી શકે. રાહુલ ગાંધીએ કહ્યુ લાખો લોકો ગામથી શહેર તરફ આવે છે. આપણે તેમના માટે કંઈક કરવાની જરુર છે. તેમણે એક દ્રષ્ટિ આપવાની જરુર છે તે ઈચ્છે તો કૃષિ અને રોકાણ વિસ્તારના ક્ષેત્રમાં સુધારો કરવાથી થાય કે સેવાઓમાં પ્રતિસ્પર્ધાત્મર સુધાર કરીને.
આ ઉપરાંત રાહુલ ગાંધી પાર્ટીના અસંતુષ્ટ જી 23 નેતાઓ પર બોલ્યા છે. તેમણે કહ્યું પાર્ટીમાં 20 લોકોનો એક ગ્રુપ છે. જે પાર્ટીમાં અલગ વિચાર રાખે છે. શું આ ભાજપ, બીએસપી અથવા ટીએમસીમાં શક્ય છે? વિચાર અલગ હોય પણ વાતચીત થવી જોઈએ.