Rahul Gandhiએ દાવો કર્યો હતો કે રેલવે સિસ્ટમ તૂટી રહી છે અને મુસાફરોની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રેલવેને લઈને સવાલો ઉઠાવ્યા છે. દિવાળી દરમિયાન રેલ્વે મુસાફરીમાં ઘણા લોકોને પડતી સમસ્યાઓને ટાંકીને, તેમણે મંગળવારે દાવો કર્યો હતો કે રેલવે સિસ્ટમ તૂટી રહી છે અને મુસાફરોની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે આ સમયે લોકોનું કોઈ સાંભળવાનું નથી.
રાહુલ ગાંધીએ એક વિડીયો શેર કરતા લખ્યું છે કે જો આપણી ટ્રેનો બંધ થશે તો ભારત બંધ થઈ જશે. તેમણે કહ્યું કે ભારતને એવી ઉત્તમ રેલ સુવિધાઓની જરૂર છે જે તમામ લોકો માટે ઉપલબ્ધ હોય.
इस दिवाली पर करोड़ों भारतीय अपने परिवार से मिलने रेल से यात्रा करेंगे।
दैनिक यात्री हो या पर्यटक, शहरी हो या ग्रामीण, श्रमिक हो या उद्योगपति – रेलवे हर भारतीय की ज़िंदगी का एक बड़ा हिस्सा या आधार है।
अगर हमारी ट्रेनें रुक जाएं, तो भारत थम जाएगा।
भारत को ऐसी बेहतरीन रेल सुविधा… https://t.co/SL5aPvDj95
— Rahul Gandhi (@RahulGandhi) October 29, 2024
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, “આજે બાલાસોરથી બાંદ્રા સુધી, અમારી રેલ્વે સિસ્ટમ તૂટી રહી છે અને મુસાફરોની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ છે. એવા સમયે જ્યારે લોકોની વાત સાંભળવી જોઈએ, સાંભળનાર કોઈ નથી.” તેમણે કહ્યું, “હું તમને બધાને વિનંતી કરું છું કે તમે એક સારા ભારતનું નિર્માણ કરવા માટે તમારો અવાજ ઉઠાવો. જો તમને રેલ સિસ્ટમમાં કોઈ ખામીઓ જણાય, અથવા તમારી પાસે સુધારા માટે કોઈ સૂચનો હોય, તો કૃપા કરીને તમારા અનુભવો અમારી સાથે શેર કરીએ.” આપણા સપનાનું ભારત.” (ભાષા)