Jairam Ramesh: ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ECIએ તેમના પર કડકાઈ બતાવી અને આજે સાંજ સુધીમાં પુરાવા રજૂ કરવા કહ્યું.
ચૂંટણી પંચે સોમવારે (3 જૂન) કોંગ્રેસના નેતા જયરામ રમેશની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામેના તેમના આરોપોના પુરાવા આપવા માટે એક અઠવાડિયાના સમયની વિનંતીને ફગાવી દીધી હતી. જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે લોકસભા ચૂંટણીનું મતદાન સમાપ્ત થયા બાદ અમિત શાહે દેશભરના 150 જિલ્લા મેજિસ્ટ્રેટને બોલાવ્યા હતા.
#UPDATE | ECI rejects Congress leader Jairam Ramesh's request of seeking a time of one week to respond, ECI asked him to reply by 7 pm today. https://t.co/k8sfsqDkW1 pic.twitter.com/OQDds5Q7ya
— ANI (@ANI) June 3, 2024
ચૂંટણી પંચે જયરામ રમેશને સોમવારે સાંજે 7 વાગ્યા સુધીમાં જવાબ આપવા કહ્યું છે. કોંગ્રેસના મહાસચિવ રમેશે કહ્યું, “અત્યાર સુધી તેઓ 150 લોકો સાથે વાત કરી ચૂક્યા છે. આ સ્પષ્ટપણે એક ધમકી છે, જે દર્શાવે છે કે ભાજપ કેટલી ભયાવહ છે. અધિકારીઓએ કોઈપણ દબાણમાં આવવું જોઈએ નહીં અને બંધારણનું પાલન કરવું જોઈએ.”