ગોરખપુરઃ એક કહેવત છે કે પ્રેમ આંધળો હોય છે પ્રેમમાં ઉંમર કે કોઈ નાત જાત જોવાતી નથી. આ કહેવત ને સાચી પુરવાર કરતી એક ઘટના ઉત્તર પ્રદેશમાં બની છે. અહીં એક પરિણીત મહિલાને માત્ર 16 વર્ષના તરુણ સાથે પ્રેમ થયા છે. અને બંને જણા ભાગી જાય છે. પરિણીત મહિલાને ત્રણ બાળકો પણ છે. ત્યારે આ કિસ્સો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે તરુણની માતાએ પોતાના પુ્ત્રની અપરણની ફરિયાદ નોંધાવી છે જ્યારે મહિલાના પતિએ મહિલાની ગાયબ થયાની ફરિયાદ નોંધાવી છે. બંને અંગે પોલીસ વધુ તપાસ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના કેપિયરગંજ પોલીસ સ્ટેશનના એક ગામમાં મહિલાને 16 વર્ષના કિશોર સાથે પ્રેમ થયો હતો. પ્રેમ ત્રણ વર્ષ પહેલાથી થયો હતો જ્યારે તેની ઉંમર માત્ર 13 વર્ષની હતી. બંને સાથે હરતા ફરતા હતા. પરંતુ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે બંને વચ્ચે પ્રેમ આટલો બંધો ગાઢ બનશે. ગામના કેટલાક લોકો કિશોર સાથે ભાગી જવાની પણ વાત જણાવી હતી. હવે મહિલાનો મોબાઈલ પણ બંધ આવે છે. મહિલાના ત્રણ બાળકો છે જેની ઉંમર 7, 5, 3 વર્ષ છે.
આ વિસ્તારમાં શિવરાત્રીના દિવસે મેળો ભરાય છે. અહીં તે ફરવા લઈને આવ્યો હતો. અને બંને ઘર પરત ફર્યા ન હતા. મહિલા ઘરે ન આવવાના કારણે પતિ પરેશાન હતો. અને શોધખોળ શરૂ કરી હતી. પોલીસને જાણ કરી હતી. જ્યારે બીજી તરફ કિશોરની માતાએ પણ પોતાના પુત્રની ગાયબ થવાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી.
જ્યાં કિશોરને લઈને ફરાર ત્રણ બાળકોની માતા ઉપર પોલીસે અપહરણનો ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી હતી. અને વધુ તપાસ હાથધરી હતી. આ મામલામાં એસપી નોર્થ મનોજ અવસ્થીના જણાવ્યા પ્રમાણે કિશોરની માતાની ફરિયાદના આધારે કેપિયરગંજ પોલીસ સ્ટેશનમાં કલ 363 આઈપીસી અંતર્ગત અપહરણની ફરિયાદ નોંધી છે.
એસપી નોર્થે જણાવ્યું કે ફરિયાદ નોંધવાની સાથે જ પોલીસ કિશોરની શોધખોળ કરવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. તેમને આશા છે કે કિશોર ઝડપથી મળી જશે. જોકે અત્યારે શંકાસ્પદ પરિસ્થિતિઓમાં ત્રણ બાળકોની માતા ફરાર થવાની ઘટના ચર્ચાનો વિષય બની છે.