લખનઉ તા.8 : ઉત્તરપ્રદેશ ની રાજધાની લખનઉ માં 12 ક્લાક સુધી ચાલેલી આતંકી મુઠભેડ નો આખરે અંત કરવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.પરંતુ અટલ લાંબા ઓપરેસન બાદ એટીએસ એક પણ આતંકી ને જીવતો પકડવામાં અફળ રહી.રાત ના ત્રણ વાગ્યે એટીએસ ઘર ની છત પર ડ્રિલ કરી ને પેહલા આતંકી ને મોત ને ઘાટ ઉતારી દીધો હતો.એટીએસ ની ટિમ ને આશંક હતી કે મુઠભેડ માં બે આતંકી નો કરવો પડશે પરંતુ વાસ્તવ માં એક જ આતંકી હતો.ઉત્તરપ્રદેશ ના ડીજીપી એ જણાવ્યું હતું કે આતંકની ને મોત ને ઘાટ ઉતારવાની સાથે જ ઘર્ષણ નો અંત આવી ગયો હતો.
સમગ્ર ઘર્ષણ દરમિયાન આતંકી તરફ થી 50 રોઉન્ડ ગોળીયો ચલાવવા માં આવી હતી.જયારે મુઠભેડ ના અંત માં 8 પિસ્તોલ અને 650 રાઉન્ડ જીવતી કારતૂસો પણ મળી આવી હતી.આતંકી સાથે રૂબરૂ થવા માટે એટીએસ ની ટિમ ને ઘર ની છત પર ડ્રિલ કરવું પડ્યું.આતંકી પાસે થી ઘણા સિમ કાર્ડ પણ મળી આવ્યા હતા.પોલીસ સૂત્રો ના પ્રમાણે આતંકી ના છેડા આઈએસ સાથે જોડાયેલા હોઈ શકે છે અને આતંકી પાસે થી પિસ્તોલ,ચાકૂ અને વિસ્ફોટક પદાર્થ પણ મળી આવ્યા હતા.કાલે ટ્રેન માં થયેલ બ્લાસ્ટ માં પણ આ આતંકી ની સંડોવણી હોવાની પણ પોલીસ ને આશંક છે.અત્યાર સુધી માં પોલીસ ને 3 આતંકી મધ્યપ્રદેશ થી અને અન્ય ત્રણ આતંકી ઉત્તરપદેશ માંથી પકડવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.