નવી દિલ્હી: કિડની ફેલ થયા બાદ એઇમ્સમાં ઇલાજ કરાવી રહેલાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને ઘણા લોકોઅે પોતાની કિડની દાન કરવાની અોફર કરી છે. અાવા લોકોમાં મુિજબ અન્સારી નામની વ્યક્તિ પણ સામેલ છે, જેણે સુષમાને કિડની અાપવાની વાત કહી. તેની અા અોફર પર િવદેશ પ્રધાને અાભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે કિડની પર ધર્મનું લેબલ હોતું નથી.
સુષમાએ બુધવારે ટ્વિટર દ્વારા જાણકારી અાપી હતી કે તેમની કિડની ખરાબ થઈ ગઈ છે અને તે એઇમ્સમાં ભરતી છે, જ્યાં તેનું ડાયાલિસિસ ચાલી રહ્યું છે. ત્યારબાદ સેંકડો લોકોઅે તેમને પોતાની કિડની દાનમાં અાપવાની અોફર કરી હતી. મુિજબ અન્સારીઅે પણ સુષમાને કિડની દાન કરવાની અોફર કરતાં ટ્વિટર પર લખ્યું કે તે મુસ્લિમ છે અને ઉત્તર પ્રદેશમાં રહે છે તેમજ માયાવતીની પાર્ટી બીએસપીના સમર્થક છે.
અન્સારીઅે ટ્વિટર પર લખ્યું હતું કે સુષમા સ્વરાજ મેમ હું બીએસપીનો સમર્થક છું અને એક મુસ્લિમ છું, પરંતુ હું તમને મારી કિડનીનું દાન કરવા ઇચ્છું છું. મારા માટે તમે માતા સમાન છો. અલ્લા તમને બરકત અાપે. વધુ એક મુસ્લિમ વ્યક્તિ નિયામત અલીઅે પણ સુષમાને કિડની અાપવાની અોફર કરી. જાન શાહ નામના અન્ય એક ટ્વિટર યુઝરે પણ કહ્યું કે તે પોતાની કિડની અાપવા તૈયાર છે. અા લોકોની અોફરના જવાબમાં સુષમાએ ટ્વિટ કર્યું કે ભાઈઅો, તમારો ખૂબ ખૂબ અાભાર. મને િવશ્વાસ છે કે કિડની પર કોઈ ધર્મનું લેબલ હોતું નથી.