નોટબંધીનો વિરોધ કરવા માટે કોંગ્રેસ દ્વારા ૨૮મી એ અપાયેલા ભારતબંધ ના એલાનના સ્થાને મોડેથી માત્ર આક્રોશ દિવસ મનાવી કોંગ્રેસ સહિતના વિપક્ષોએ મન મનાવ્યું હતું. આ બધા વચ્ચે લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના હોબાળા બાદ રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં ગાંધીજીના સ્ટેચ્યુ પાસે પોતાના સમર્થકો સાથે ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમ્યાન માયાવતીએ જણાવ્યું કે તેઓ બંધમાં સામેલ નથી પરંતુ પોતાની રીતે વિરોધ કરશે. જયારે ગૃહમંત્રી રાજનાથ સિહે વિપક્ષ સાથે મોદીજી નોટબંધી ઉપર ચર્ચા કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. પરંતુ વિપક્ષ ભાગતું હોવાનું ઉમેર્યું હતું.
કેરળમાં થોડા અંશે બંધ જોવા મળ્યું હતું. જયારે ડાબેરી પક્ષોએ બિહારના દરભંગા, જહાના બાદ, ધનબાદ, પટના ગયા સહિતના સ્થળોએ ટ્રેન વ્યવહાર અટકાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સિવાય દેશમાં બંધની કોઈ અસર જોવા મળી ન હતી.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.