નોટબંધી બાદ બ્લેક્મની ઉપર સકંજો કસવા માટે સરકારે કડક પગલા ભરવાનું શરૂ કર્યું છે. ત્યારે કરોડપતિ લોકોના બ્લેક્મની ને વ્હાઈટ કરવાના અખતરા બતાવી કમીશન ઉપર કમાઈ લેવા માટે કેટલાક બેંક અધિકારીઓ સામે શરૂઆતથી જ શંકાની સોય તકાઈ રહી છે. જોકે બેન્કના કેટલાક અધિકારીઓ પોતાના કરોડપતિ કસ્ટમર કે તેના સગાઓને ઇન્કમ ટેક્સથી બચવા માટે કાયદેસરની કેહવાતી છટકબારીઓ અંગે માર્ગદર્શન આપતા હોય છે. અને વિશ્વાસ અપાવે છે કે તેઓને ભવિષ્યમાં કોઈ જ પ્રોબ્લમ નહિ થાય. દાખલા તરીકે કેશ ક્રેડીટ એકાઉન્ટ હેઠળ બેંક ગ્રાહકોના ખાતામાં જમા રકમથી વધુની લોન આપવાની સુવિધા આપે છે. બેંક અધિકારી દ્વારા બ્લેકમનીને આજ ક્રેડીટ એકાઉન્ટમાં જમા કરવાની ભલામણ કરે છે. આ રકમ જમા થયા બાદ એનીએફટી દ્વારા નિયત થયેલી રકમ સેટલ કરવા આવેલા ખાતામાં સેટલ કરી દે તેવી વાત છે. બીજો એક સરળ રસ્તો છે. બેંક એકાઉન્ટ ખોલવાનો કે જેમાં હજારો ખાતા એક સાથે ખોલી શકે તેમ જણાવતું હોવાનું કહેવાય છે. એક બ્રાન્ચમાં માત્ર ૫૦ ખાતા જ ખોલાય છે. અલગ-અલગ બ્રાન્ચમાં નવા ખાતા ખોલવાથી કોઈને શંકા પણ જતી નથી તેવા ઘણા બધા રસ્તા હોવાનું સબંધિતોમાં ચોરેને ચૌટે ચર્ચાઈ રહ્યું છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.