Surat: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને નવસારી ના સાંસદ સભ્ય સી.આર.પાટીલની દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય જળ શક્તિ વિભાગના કેબિનેટ મંત્રી તરીકે નિમણુક કરવામાં આવી છે,કેન્દ્રીય મંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત સુરત ખાતે આવતા એમનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ના પ્રમુખહેમંતભાઈ કંસારા, વલસાડ/ડાંગ ના સંસદ સભ્ય ધવલભાઈ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ, શીલપેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહી આદરણીય સી.આર.પાટીલજી ને પુષ્પગુછ આપી શુભકામનાઓ પાઠવી હતી