BJP ઉપલેટા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લગાવતો પત્ર લખાયો
BJP ભાજપના નેતાઓ પત્રો લખીને અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ઉપલેટાના BJP ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો કરતો પત્ર લખાયો હતો. જૂથવાદ સપાટી પર આવ્યો હતો.
ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્રની નકલ મોકલીને આવું કૃત્ય કરનાર સામે પગલા લેવાની માંગણી કરી હતી.
પત્રમાં ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય અને સૌ.યુનિ.ના પૂર્વ કુલપતિ ડો.મહેન્દ્ર પાડલિયા વિરૂધ્ધનો આ પત્ર પોસ્ટથી અનેક લોકોને મોકલવામાં આવ્યો છે. પત્રમાં ભાજપના ધારાસભ્ય પાડલિયા નાના કોન્ટ્રાકટ્રરો પાસેથી રૂ.બે-ત્રણ હજાર ઉઘરાવે છે, પી.જી.વી.સી.એલ.ના એન્જિનિયર અને મામલતદાર સહિત અધિકારીઓ પાસેથી હપ્તા લે છે, નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં ભારે ભ્રષ્ટાચાર આચરાયો છે તેમજ વ્યભિચાર સહિતના ગંભીર આક્ષેપવાળો પત્ર ‘લિ.ભાજપ અને સંઘની કાર્યકર્તા ‘ તેવા નામથી વાયરલ કરીને તેમાં આ પત્રની કોપી દિલ્હી અને ગુજરાત પ્રદેશ ભાજપને મોકલાયાનું જણાવાયું છે.
આ પત્રની કોપી મારી પાસે આવી છે
ધારાસભ્યએ જાહેર કર્યું કે આ પત્રની કોપી મારી પાસે આવી છે, અમારા પક્ષના કોઈએ ઈર્ષા અને દ્વેષથી પીડાઈને આ પત્ર લખ્યાની શંકા છે અને મારા પર ખોટા આક્ષેપો કર્યા છે જે બદલ એસ.પી.ને પત્રની કોપી સાથે આ શખ્સ વિરૂધ્ધ પગલા લેવા મૌખિક રજૂઆત કરી છે. નગરપાલિકા વખતે પણ આવા આક્ષેપ કરતા નનામા પત્રો વાયરલ થયા હતા.
વિવાદો
મહેન્દ્ર પાડલીયા વર્ષ 2021માં ભાજપના પ્રદેશ શિક્ષક સેલના કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 1997 થી 2000 સુધી રાજકોટ મહાનગરના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2000 થી 2005 સુધી જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. 2011 થી 2014 સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પણ રહી ચૂક્યા છે.
રાજકોટના ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની કારનો અકસ્માત થયો હતો. શહેરના રાજમાર્ગ પર જઈ રહેલી કાર થાંભલા સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.
એક મતદારે ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાને ફોન કરી કહેલ કે, ધોરાજીથી છાડવાવદર ગામનો રસ્તો બનાવવા મામલે મતદારે ઉઘડો લીધો હતો. જે બાબતે ધારાસભ્ય દ્વારા ગુસ્સે થઈ મતદારને જવાબ આપ્યો હતો. ગ્રામજનની રજૂઆત સાંભળી ધારાસભ્ય અકળાયા હતા. અને કહ્યુ હતું કે હું પટ્ટાવાળો નથી. મારે બધાને હિસાબ આપવાનો ન હોય. રોડ ક્યારે બનશે તે તો મને પણ ખબર નથી.
નગરપાલિકામાં લલીત વસાવાએ આરોપ મૂક્યો હતો કે, મહેન્દ્ર પાડલિયાએ ઉમેદવારેને 10 લાખ રૂપિયા આપીને હરિફ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યા હતા.