Supreme Court: ગુજરાત સહિત દેશભરમાં ચકચાર જગાવનારા ભાજપનાં નેતા જેન્તી ભાનુશાળીના હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વની આરોપી મનીષા ગોસ્વામીને જામીન મૂક્ત કરવાનો હુકમ કર્યો છે.
વિગતો મુજબ પશ્ચિમ કચ્છની અબડાસા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પીઢ અગ્રણી નેતા એવા જેન્તી ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં શેખર અને સુરજીત ભાઉ નામના શાર્પશૂટરો દ્વારા સાયલેન્સર વાળી બંદૂકના ભડાકે હત્યા કરવાના ચકચારી ગુનામાં નવેમ્બર 2019 થી પાલારા જેલમાં બંધ વાપીની મનીષા ગોસ્વામીને Supreme Court જામીન આપ્યાં છે.
2019ના જાન્યુઆરીમાં સયાજીનગરી એક્સપ્રેસમાં અમદાવાદ આવી રહેલાં
ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં કરપીણ હત્યા થયાં બાદ મનીષા અને તેનો સાગરીત સુરજીત પરદેશ ઊર્ફે ભાઉ બેઉ નાસતાં ફરતાં રહ્યાં હતા અને નવેમ્બર માસમાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી પકડાયાં હતાં.
અગાઉ સર્વોચ્ચ અદાલતે હત્યા કેસની ટ્રાયલ ઝડપથી ચલાવવા હુકમ કર્યો હતો
પરંતુ તેનું પાલન ના થતાં અદાલતે પ્રી ટ્રાયલ કન્વિક્શન ગણીને મનીષાને જામીન પર મુક્ત કરી દીધી છે. જો કે, માધાપરના યુવકને હની ટ્રેપ કરી મરવા માટે મજબૂર કરવાના ગુનામાં મનીષાને જામીન મળ્યાં નથી. તેથી તે હજુ જેલમાં જ રહેશે.
સુપ્રીમના આ હુકમ બાદ ભાનુશાલી હત્યા કેસ સબબ પૂર્વ હાલ જેલમાં રહેલા
ધારાસભ્ય છબીલ પટેલ અને જયંતી ઠક્કર જેવા મુખ્ય આરોપીઓ સહિત હત્યાને અંજામ આપનારા શાર્પશૂટરો, છબીલના ફાર્મહાઉસમાં તેમને મદદ કરનારાં અન્ય મળતીયાઓ વગેરે અન્ય આરોપીઓને પણ જામીન મળશે કે કેમ તે ચર્ચાઈ રહ્યું છે.