અમદાવાદઃ ગુજરાતમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે અમદાવાદ નજીક લૂંટની સનસની ઘટના બની હતી. કારમાં આવેલા લોકોએ એસટી બસને અટકાવી આંગડિયા પેઢીના બે કર્મચારીઓ સાથે કરોડો રૂપિયાની લૂંટ આચરીને લૂંટારુઓ ફરાર થયા હતા. કારમાં લી જઈને કર્મચારીઓ પાસેથી ત્રણ કરોડના કિંમતનું સોનું લૂંટી લીધું હતું.
આ બનાવની વિગત મુજબ રતનપોળમાં મિર્ચી પોળમાં આવેલી અમૃતલાલ માધવલાલ એન્ડ કંપનીના કર્મચારી અને પાટણમાં રહેતા ચૈનાજી લાલુજી પરમાર તથા મિર્ચી પોળમાં જ આવેલી માધવલાલ મગનલાલ એન્ડ કંપનીના નરોડા પાસેના હંસપુરામાં રહેતા કર્મચારી રાજેશભાઈ ચેલાભાઈ પટેલ(૫૫) ૨૪ ફેબુ્રઆરીના રોજ સવારે ગીતા મંદિરથી એસ.ટી બસમાં રાજકોટ જવા નીકળ્યા હતા.
દરમિયાન બસ બાવળા બગોદરા હાઈવે પર કલ્યાણગઠ, કામધેનુ કંપની પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે કારમાં આવેલા છ શક્સોએ એસ.ટી.બસને અટકાવી હતી. બાદમાં કારમાંથી બે શક્સો ઉતરીને બસમાં ચઢ્યા હતા. તેમણે ચૈલાજી પરમાર અને રાજેશભાઈ પટેલને પોતે ઈન્ક્મટેક્સના ઓફિસરો છે કહીને બસમાંથી નીચે ઉતાર્યા હતા. તેમણે તપાસ માટે જવાનું છે કહીને બન્નેને કારમાં બેસાડી દીધા હતા.
રબાદ આ શક્સો બન્નેને કારમાં ખેડા પાસેના રઢુ ગામ ખાતે લઈ ગયા હતા. જ્યાં તેમમે બન્નેને બાંદી દીધા હતા તેમણે બન્ને પાસેથી અંદાજે રૃ.૩,૦૦,૦૦,૦૦૦ ની કિમતનું પાંચ કિલોગ્રામ સોનું લુંટી લીધું હતું. લુંટ કર્યા બાદ આ શખ્સો ત્યાંથી કારમાંથી ભાગી છૂટવા ભાગી ગયા હતા. દરમિયાન અહીંથી પસાર થતા કોઈ વાહનચાલકે બન્નેને બાંધેલી હાલતમાં જઈને પુછપરછ કરતા લુંટ થઈ હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગે પોલીસને જાણ કરાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બગોદરા પોલીસ ઘટનાસ્થલે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આંગડીયાના બન્ને કર્મચારીઓની પુછપરછ કરીને આ અંગે ગુનો નોંધ્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા વીરેન્દ્રસિંહ યાદવના જણાવ્યા મુજબ આરોપીઓએ બન્ને આંગડીયા કર્મચારીઓની પહેંલા રેકી કરી હોવાની શંકા છે. તે સિવાય બન્ને વેપારીઓ પાસે મોટી રકમનું સોનુ હોવાની ટીપ આપી હોવાની શક્યતા છે. હાલમાં પોલીસે આ વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.