ગાંધીનગર – અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા કોવિડ પોઝિટીવના સંપર્કમાં આવતા તેઓ જાતે 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન થઇ ગયા છે. તેમના હોદ્દાનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સીઇઓ મુકેશ કુમારને આપવામાં આવ્યો છે.
એટલું જ નહીં, અમદાવાદ શહેરમાં કોવિડની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે.
કોવિડની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે રાજ્ય સરકારે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક કરી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોવિડ પોઝિટીવ કેસો વધી રહ્યાં છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય સરકારનું ધ્યાન અમદાવાદમાં ખેંચાયું છે. અમદાવાદમાં પોઝિટીવ કેસોની સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે તેથી કેન્દ્રીય ટીમ પણ સંકલન માટે અમદાવાદમાં આવેલી છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.