Accident: આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર સોમવારે સવારે એક ઝડપી ટ્રકે પાર્ક કરેલી બસને ટક્કર મારતાં છ લોકોના મોત થયા હતા અને છથી વધુ લોકો ઘાયલ થયા હતા.
આ માહિતી પોલીસે જાહેર કરી છે.
આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના ચિખોદ્રા ગામ નજીક વહેલી સવારે 4.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો જ્યારે અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસનું એક ટાયર ફાટતાં તે રસ્તાની બાજુએ ઊભી રહી ગઈ હતી.
જ્યારે ટાયર બદલવામાં આવી રહ્યું હતું, ત્યારે બસના મુસાફરો નીચે ઉતર્યા અને તેમાંથી કેટલાક વાહનની સામે રાહ જોઈ રહ્યા હતા જ્યારે એક ઝડપી ટ્રકે બસને પાછળથી ટક્કર મારી હોવાનું અધિકારીએ જણાવ્યું.
તેમણે કહ્યું કે પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. મૃતકોમાં બસ ડ્રાઈવર પણ સામેલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એટલી જ સંખ્યામાં પુરૂષોનો સમાવેશ થાય છે અને તેમની ઓળખ હજુ સુધી થઈ નથી. અધિકારીએ જણાવ્યું કે ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.