સુરત શહેરના તત્કાલીન પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની સીબીઆઈમાં ઇન્ચાર્જ ડાયકટર તરીકે નિમણુક કરવામાં આવી છે. આઈપીએલ રાકેશ અસ્થાના ૧૯૮૪ બેચના ગુજરાત કેડરના ઓફિસર છે. તેઓએ બિહારના બહુચર્ચિત ઘાસચારા કૌભાંડમાં મહત્વની ભૂમિકા બનાવી હતી. ત્યારબાદ તેમની નિમણુક ગુજરાતના કમિશનર તરીકે કરવામાં આવી હતી. અને વડોદરા તથા સુરતમાં પ્રસંશનીય કામગીરી બજાવી ચૂક્યા છે. અગાઉ તેઓ કોમી તોફાનો વખતે અમદાવાદ અને પાટણમાં પણ સુંદર કામગીરી બજાવી ચૂક્યા છે. ૧૯૯૨મા સીબીઆઈ માં જોડાયા અને ત્યારબાદ રાષ્ટ્રીય અને ઇન્ટરનેશનલ કક્ષાના ગૂનો ડિટેકટ કર્યા બાદ ગુજરાતમાં આવ્યા અને ફરીથી સીબીઆઈ માં તેઓની નિમણુક થઇ છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.