સોમનાથ તા.8 :નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર સોમનાથ પહોંચ્યા હતાં, જ્યાં ભવ્ય સોમનાથઃ વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર સોમનાથની મુલાકાતે આવ્યા છે. અહીં મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિરના દર્શન કર્યા હતા. ટ્રસ્ટની બેઠકમાં નરેન્દ્ર મોદી હાજરી આપવા માટે સોમનાથ પહોંચ્યા છે.આ અગાઉ એક જનસભાને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે, દ્વારકા અને બેટ-દ્વારકા વચ્ચે 500 કરોડના ખર્ચે આઈકોનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. તે સિવાય મોદીએ કેસરિયા ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ અને સફેદ ક્રાંતિ, બ્લૂ રીવોલ્યુશનની વાત કરી હતી. ઉપરાંત માછીમારો માટે યોજના લાવવાની પણ વાત કરી હતી.વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયાકિનારે 40 પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે જેના મારફતે 45 હજાર કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. સાથે ગુજરાતના દરિયાકિનારે આવેલા 18 પોર્ટને આધુનિક બનાવાશે.આ પ્રસંગે મોદીએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના વખાણ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે અમદાવાદ-બગોદરા હાઇવે પર પહેલા અનેક અકસ્માતો થતાં હતાં, પરંતુ કેશુભાઇ પટેલની સરકારે એ હાઇવેને ફોરલેન કરીને અકસ્માતો ઘટાડ્યાં છે. મોદીએ સોમનાથમાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.