પોરબંદરના રેખાબેન લખમણભાઈ ઓડેદરા દ્વારા તેની માલીકીની મિલ્કત કે જે પોરબંદરના કડીયાપ્લોટમાં આવેલી હોય અને તેમાં અલગ અલગ ફલેટો બનાવેલા હોય અને તેમાંથી ત્રણ ફલેટો પોરબંદરના રહીશ શાંતાબેન ૫૨બતભાઈ વાઘને વેચાણ કરેલા હતાં અને વેચાણ ક૨તી વખતે જ દસ્તાવેજમાં અધુરા બાંધકામના ફલેટ હોય અને તે ફલેટોનું બાંધકામ પુરૂ કરી આપશે તેવા ખાત્રી આપેલા હોય અને અવેજની તમામ ૨કમ સ્વિકારી લીધેલી હોય પરંતુ ત્યા૨બાદ લાંબા સમય પછી પણ અધુરૂ બાંધકામ પુરૂ કરેલ ન હોય અને પુરૂ ક૨વાની લેખીત નોટીસ ક૨વા છતાં કોઈ દરકાર કરી ન હતી.
જેથી ના છૂટકે શાંતાબેન ૫૨બતભાઈ વાઘે આ અંગે 3 અલગ અલગ ફરીયાદો ગ્રાહક સુ૨ક્ષા ફો૨મમાં કરવામાં આવી હતી. અને ત્યાં આ કેસ ચાલી જતા ગ્રાહક સુરક્ષા ફોરમ દ્વારા 30 દિવસમાં અધુરૂ બાંધકામ પુરૂ કરી દેવાનો હુકમ કરેલ છે. તેમજ રૂા.8,000/- અલગથી ફરીયાદીને ચુકવવાનો હુકમ કરેલ છે અને તે રીતે કોઈપણ બીલ્ડર પોતાના ગ્રાહકને ખોટી રીતે કનડગત કરે કે, બાંધકામ અધુરૂ છોડી દે તેમજ પુર્ણ ન કરે તો ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ દાખલ થઈ શકે અને ગ્રાહક સુરક્ષા ફોરમ દ્વારા પણ ચુકાદાઓ આવેલ છે. આ કામમાં ફરીયાદી વતી પોરબંદરના એડવોકેટ દિપકભાઈ લાખાણી, ભરતભાઈ લાખાણી, હેમાંગ લાખાણી, અનિલ સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવધણ જાડેજા તથા કિશન ગોહેલ રોકાયેલા હતાં.