ગુજરાતમાં માર્ચ થી મે મહિના વચ્ચે ચૂંટણી થાય તેના માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે, ભાજપે નવા મુખ્યમંત્રી તરીકે નવા ચહેરાની શોધ શરૂ કરી છે. જેમાં શંકર ચૌધરી નું નામ ચાલી રહ્યું છે, આ ઉપરાંત 2017ની ચૂંટણીમાં અમીત શાહ ઝંપલાવશે નહીં, તેના બદલે તેઓ પોતાની નારણપુરા બેઠક ખાલી કરી, તેમના સ્થાને શંકર ચૌધરીને નારણપુરા બેઠક ઉપર મુકવામાં આવે તેવી ચર્ચા છે,તેવી જ રીતે નાયબ મુખ્યમંત્રી સાબરમતી બેઠક ઉપરથી ચૂંટણી લડશે. જ્યારે આનંદીબહેન પટેલ પણવિધાનસભાને અલવીદા કરશે અને તેમની ઘાટલોડીયા બેઠક ઉપર અનાર પટેલને ટીકીટ આપવાનું લગભગ નક્કી છે. અમીત શાહના પુત્ર જય શાહને પણ એક તબ્બકે વિધાનસભામાં લાવવાની વિચારણા હતી, પણ હાલના તબક્કે તે
અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમીત શાહ આગામી 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં હાલમાં અડવાણી જ્યાંથી ચુટણી લડી રહ્યાં છે તે ગાંધીનગરની બેઠક ઉપરથી ચૂંટણી લડી ભાજપને કેન્દ્રમાં ફરી સત્તા મળે તો મંત્રીમંડળમાં ગૃહ વિભાગનો હવાલો સંભાલી શકે છે. જ્યારે આનંદીબહેન પટેલે આવનાર સમયમાં રાજયપાલ પદ અથવા મેં મહિનામાં ખાલી પડી રહેલી ઉપરાષ્ટ્રપતિ પદ સોંપવામાં આવે તેવી પણ ચર્ચા છે
છેલ્લા સમય થી ભાજપે શરૂ કરેલા ઝંઝાવાતી અભિયાન ને લઈને ચૂંટણી પહેલાની તૈયારી ની ઝાંખી કરાવે છે. ત્યારે રાજકીય સળવળાટ શરૂ થયો છે.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.