Sonakshi Sinha : બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. બંનેના લગ્ન 21 જૂને મુંબઈની એક ખાનગી હોટલમાં થશે, જેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. એવા અહેવાલ છે કે અભિનેત્રીના પરિવારના સભ્યો આ લગ્નમાં હાજરી આપી રહ્યા નથી. થોડા દિવસો પહેલા જ્યારે સોનાક્ષીના એક્ટર સાંસદ પિતા શત્રુઘ્ન સિન્હાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. હવે, એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રીની માતા અને ભાઈએ તેને સોશિયલ મીડિયા પરથી અનફોલો કરી દીધી છે.
અભિનેત્રી સોનાક્ષી સિન્હા ટૂંક સમયમાં દુલ્હન બનવા જઈ રહી છે, અભિનેત્રી તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરશે, આ સમાચારને કારણે સોનાક્ષી સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલીંગનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં, હવે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રીના પરિવાર તેના અન્ય ધર્મમાં લગ્ન કરવાથી નારાજ છે. જેના કારણે માતા પૂનમ સિંહા અને તેના ભાઈ લવે તેમની પુત્રી સોનાક્ષી સિંહાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે.