શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતા ની પૂજા કરે છે ઉપવાસ કરીને બાજરી ની કુલેર કે જે બાજરી નો લોટ, ગોળ, ઘી નાખીને બનાવવામાં આવે છે. જેને પણીયારા ઉપર નાગદેવતા નું કંકુ થી ચિત્ર દોરી ઘી નો દીવો કરી વંદન કરે છે અને શ્રીફળ વધેરે છે હિન્દુ ધર્મ માં મોટા ભાગ ની બહેનો આ વ્રત કરતી હોય છે. નાગ નો સ્વભાવ તો ઝેર કાઢવાનો છે પણ તેને હેરાન ના કરવા માં આવે તો તે કરતો નથી. કમનસીબે આજનો માણસ ઝેરી બનતો જાય છે. હ્રદય અને મનમાં કેટલાક માણસો માં ઝેર ભર્યું હોય છે. જો કે આવો સ્વભાવ આખરે નુકસાન કારક નિવડે જ છે. આજનો માણસ વગર છંછેડે ફુંફાડા મારે છે. ભગવાન કૃષ્ણ એ કાળીનાગ નું દમન કર્યું. તેમણે નાગની ઝેરી વૃત્તિ ઓ નું જ દમન કર્યું છે. તે કાળીનાગ ને મોક્ષ આપ્યો છે. ભગવાન કૃષ્ણ એ લખ્યું છે કે નાગો માં હું વાસુકી નાગ છું. કાળીનાગ વૃન્દાવનમાં લોકો ને ત્રાસ આપતો હતો. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે ભારત દેશ કૃષિપ્રધાન દેશ હતો અને છે. સાંપ ખેતરનો રક્ષણ કરે છે તેથી તેને ક્ષેત્રપાળ પણ કહે છે. જીવ જંતુ, ઉંદર વગેરે જે ઉપજને નુકશાન કરે છે તેનો નાશ કરીને સાંપ ખેતરને લીલાછમ રાખે છે. સાંપ આપણ ને ઘણા મુખ્ય સંદેશ આપે છે. સાંપના ગુણ જોવાની અમારી પાસે ગુણગ્રાહી અને શુભગ્રાહી દ્રષ્ટિ હોવી જોઈએ. ભગવાન દત્તાત્રયની એવી શુભ દ્રષ્ટિ હતી. તેથી જ તેમને દરેક વસ્તુથી કઈક ને કઈક શીખ મળી
નાગપંચમીના દિવસે
-સવારે ઉઠીને ઘરની સફાઈ કરી નિત્યકર્મથી નિવૃત થઈ જાઓ
– સ્નાન કરી સાફ વસ્ત્ર પહેરવું.
– પૂજન માટે સેવઈ-ચોખા વગેરે ભોજન બનાવો.
– દીવાલ ઉપર ગેરૂ(લાલ રંગ)થી પોજન સ્થાન બનાવાય છે. પછી કાચા દૂધમાં કોલસો ઘસી તેનાથી દીવાલ પર ઘર જેવી આકૃતિ બનાવે છે અને તેમાં ઘણા નાગદેવતાની આકૃતિ બનાવે છે.
– કેટલીક જગ્યા પર સોના, ચાંદી, કે માટીની કલમ અને હળદર કે ચંદનની સ્યાહીથી કે ગોબરથી ઘરના મુખ્ય બારણાના બન્ને તરફ પાંચ ફેન વાળા નાગદેવ અંકિત કરી પૂજાય છે.
– શ્રાવણ માસમાં નાગપંચમીને ભૂમિ ખોદવું વર્જિત છે. આ દિવસે વ્રત કરીને સાંપને ખીર ખવડાય છે અને દૂધ પીવડાય છે. ક્યાં ક્યાં શ્રાવણ માહની કૃષ્ણ પક્ષ્ની પંચમેને પણ નાગ પંચમી ઉજવાય છે. આ દિવસે સફેદ કમળ પૂજામાં રખાય છે.