આજે શ્રીકૃષ્ણના ગૃહસ્થ ભક્ત અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો જન્માષ્ટમી ઉજવી રહ્યા છે. જન્માષ્ટમીના દિવસે વ્રત કરવાનું વિશેષ મહત્ત્વ છે. મોટાભાગના ભક્ત આ તિથિએ અનાજ ગ્રહણ કરતાં નથી, થોડાં લોકો આખો દિવસ નિરાહાર રહે છે તો થોડાં માત્ર ફળાહાર કરે છે. આ ધાર્મિક મહત્ત્વ જણાવે છે કે, આ વ્રતથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ યોગ, આયુર્વેદ આ બંનેમાં જ ઉપવાસના અનેક ફાયદા જણાવવામાં આવ્યાં છે. જન્માષ્ટમીએ વ્રત માત્ર ભગવાનને પ્રસન્ન કરવા અથવા તેમની કૃપા મેળવવાનો રસ્તો નથી. તેના દ્વારા વ્યક્તિ પોતાના શરીરને સ્વસ્થ રાખી શકે છે. જન્માષ્ટમીએ ઉપવાસ કરવાથી વ્યક્તિને ત્રણ પ્રકારના ફાયદા થઇ શકે છે. યોગ અને ધ્યાનમાં ઉપવાસનું અલગ મહત્ત્વ છે. યોગ કહે છે- વ્યક્તિના શરીરમાં સાત ચક્ર છે, મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્રાર. તેમાંથી 5મો વિશુદ્ધિ ચક્ર હોય છે. જે વ્યક્તિના કંઠમાં હોય છે. આ વાણીનું ચક્ર છે. તેની શુદ્ધિથી વાણીમાં પ્રભાવ પેદા થાય છે અને આ ચક્રના સ્વામી ભગવાન કૃષ્ણ છે. જન્માષ્ટમી ભગવાન કૃષ્ણનો દિવસ છે. આ દિવસે ઉપવાસ કરી કૃષ્ણનું ધ્યાન કરવાથી વિશુદ્ધિ ચક્ર જાગૃત થાય છે. તેનાથી વ્યક્તિની વાણીમાં પ્રભાવ પેદા થાય છે. અનાજ ગ્રહણ કરવાથી આળસ વધે છે, અનાજ પચાવવા માટે શારીરિક મહેનત કરવી પડે છે. જન્માષ્ટમીએ જો અનાજ ગ્રહણ કરવામાં આવે તો આળસ અને અપચાની સ્થિતિમાં ભક્તનું મન ભક્તિમાં લાગી શકતું નથી. ભક્તનું મન ભક્તિમાં મગ્ન રહે, તેના માટે જન્માષ્ટમીએ અનાજનો ત્યાગ કરવામાં આવે છે. ફળાહાર કરવાથી ભૂખ શાંત થાય છે. ફળાહાર કરવાથી ઓછી શારીરિક મહેનતમાં તે પચી જાય છે. વિચારોમાં પવિત્રતા અને પોઝિટિવિટી બની રહે છે. ભૂખ શાંત રહે છે. જેથી વ્યક્તિ મંત્રજાપ, તપ અને પૂજા એકાગ્ર થઇને કરી શકે છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.