ગાંધીનગર — ગુજરાત સરકારની આવક બંધ થઇ છે છતાં કર્મચારીઓને પગાર આપવામાં આવશે તેવી જાહેરાત નાણામંત્રી નીતિન પટેલે કરી છે. તેમણે કહ્યું હતું કે કોરોના સંક્રમણના સમયમાં સરકારને શૂન્ય આવક મળી રહી છે છતાં સરકાર તેની ફરજ બજાવી રહી છે.
તેમણે કહ્યું હતું કે અમે કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર ખર્ચ પેટેના 4000 કરોડ રૂપિયા છૂટા કરી રહ્યાં છીએ જે કર્મચારીઓને મે ના પ્રથમ સપ્તાહમાં આપી દેવામાં આવશે. ગુજરાતમાં વ્યાપાર, ધંધા, રોજગારી, હોટલો, દુકાનો બંધ છે. જીએસટી સહિતની આવક બંધ થઇ છે. પેટ્રોલ-ડીઝલના વેટની આવક બંધ છે. રાજ્યની આર્થિક પરિસ્થિતિને ખતરો પેદા થયો છે છતાં અમે કર્મચારીઓને પગાર કરીએ છીએ. સરકારની આવકમાં મોટો ઘટાડો થયો હોવાનું તેમણે સ્વિકાર્યું છે.
નાણા વિભાગે નક્કી કર્યું છે કે કર્મચારીઓને પગાર મળશે અને પેન્શનરોને પેન્શન મળશે. આ રકમ નિયમિત ધોરણે આપવામાં આવશે. રાજ્યની આવકમાં ખૂબ મોટો ઘટાડો થયો હોવા છતાં અમે કોઇનો પગાર અટકાવ્યો નથી. એપ્રિલ મહિનો પૂર્ણ થયો છે ત્યારે તેનો સંપૂર્ણ પગાર પાંચ લાખ ઉપરાંતના કર્મચારીઓને કરવામાં આવશે. 2600 કરોડ રૂપિયા મે મહિનાના પ્રથમ સપ્તાહમાં અપાશે.
એવી જ રીતે રાજ્યના 4.57 લાખ પેન્શરોને પણ પેન્શન ચૂકવાશે. 1400 કરોડનું પેન્શન થાય છે. આ બન્ને રકમ અમે મે મહિનામાં કર્મચારીઓ તેમજ પેન્શનરોના ખાતામાં જમા કરાવવાનો નિર્ણય કર્યો છે. હાલ કોરોના સામેની લડાઇમાં સરકારના તમામ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે સરકાર તેના કર્મચારીઓને પગાર અને પેન્શનરોને પેન્શન ચૂકવે તે માટે અમે નાણા વિભાગના અધિકારીઓને કહ્યું છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.